Book Title: Shodashak Prakaran Darshan
Author(s): Sagaranandsuri, Nityodaysagar
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 418
________________ ૩૬. સૂત્રરહસ્ય ૩૭૭ જેમનું વચન યુક્તિમય હોય તેને શરણે જવું જોઈએ.” આ લેક વાસ્તવિક સ્વરૂપે વિચારનાર જ, શ્રીહરિભદ્રસૂરિજીને ભગવાન શ્રીમહાવીર પરમાત્મા પ્રત્યે કેટલે રાગ હોય તે સમજી શકાશે. તેઓને રાગ આ સૂત્રથી જ ધ્વનિત થાય છે. જેને માત્ર શબ્દાર્થને જ વળગવું હેય, રહસ્ય ન વિચારવું હોય તેમને શું કહેવું? કેને થતી શંકાના નિવારણ માટે આ લેક છે. પિતે ગૌરવપૂર્વક મહાવીર દેવ પરત્વેને રાગ કબૂલે છે, તેમના શાસનનું શરણ સ્વીકારે છે, કહે છે, હું એ શાસનને સમર્ધા , એ શાસનને પ્રચાર કરવા ઇચ્છું છું, આટલું કહીને પછી કારણમાં ઊતરીને જણાવે છે કે- તેમાં પક્ષાપાત એ કારણ નથી,” પક્ષપાતના આરેપને પ્રથમ સૂત્રથી ઈન્કાર કરે છે. યુક્તિવાળું વચન જેમનું છે તેમને ગ્રહણ કરું છું,' આવું સ્પષ્ટ વકતવ્ય હોવા છતાં અવળે માર્ગે અર્થ લઈ જાય તેને શું કહેવું ? પ્રશસ્ત તથા અપ્રશસ્ત કવાય શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ ને શુદ્ધ ધર્મ તરફ પ્રીતિ તથા અશુદ્ધ દેવ, અશુદ્ધ ગુરુ ને અશુદ્ધ ધર્મ તરફ અપ્રીતિ એ નિર્જરાનું કારણ છે. આ ત્રણ વસ્તુ જે છોડી દઈએ તે જગતમાં નિર્જરાનું કશું કારણ નથી. શ્રીઅરિહંત તે દેવ, શ્રીગૌતમાદિક નિગ્રંથ તે ગુરુ અને દર્શન જ્ઞાન, ચારિત્ર ને તપ તે ધર્મ. આ તમામ પ્રત્યે રાગ તે પ્રશસ્ત રાગ તથા કુદેવ, કુગુરુ ને કુધર્મ પરત્વે અપ્રીતિ તે પ્રશસ્ત દ્વેષ. આ વાત થઈ પ્રશસ્ત કપાયની. રૂપ, રસ, ગંધ, શબ્દ ને સ્પર્શ આ વિષયે અંગે, બાયડી, છોકરાં, શેઠ, નેકર, ગામ, નગર, દેશ વગેરેને અંગે કેઈપણ પ્રકારની રાગ દ્વેષની પરિણતિ થાય તે અપ્રશસ્ત. આને અંગે સાનુકૂળ પરત્વે રાગ, પ્રતિકૂળ પર દ્વેષ. આ બન્ને અપ્રશસ્ત સમજવાં. આ રાગ દ્વેષ જેમ જેમ વધે, તેમ તેમ આત્મા નીચે ઊતરવાને. આ રીતે કષાયના બે પ્રકારઃ ૧. પ્રશસ્ત, ૨. અપ્રશસ્ત. યેગમાં પણ તે બે પ્રકાર છે. -

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482