________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[[સર્ગ ૩ જો. પુરૂષનાં લક્ષણો શિખવ્યાં, સુંદરીને ગણિત શીખવ્યું, અને જગને હિતકારી, તિરૂપ અષ્ટાદશ લિપીઓ જમણા હાથે બ્રાહ્મીને શીખવી.
આ પ્રમાણે માયારહિત પ્રભુએ વિશ્વની સ્થિતિ નિર્માણ કરી અને યથાયોગ્ય કાર્યમાં પ્રેરનારા પ્રભુએ સર્વ લેકને વિવિધ કાર્યોમાં જેડી દીધા. દેવતાઓએ
સ્તુતિ કરેલા પ્રભુ, કોઈવાર અદ્દભુત ઉદ્યાનમાં, કોઇવાર સમુદ્રને તીરે, કોઈ વખત કીડાગિરિમાં, કેઈવાર વિચિત્ર મંદિરોમાં, કેઈવાર સ્ત્રીઓના રાસડા જોવામાં, કોઈવાર કિંનરસ્ત્રીઓનાં ગીતને શ્રવણ કરવામાં અને કોઇવાર ઇંદ્રની આજ્ઞાથી દેવીઓએ ભજવેલા નાટક જેવામાં ભાગ લઈ કર્મની નિર્જરા કરતા હતા. એવી રીતે પૂર્વ (પ્રથમ) રાજા એવા એ ભગવતે, પૂર્વ (પહેલા) દ્વીપમાં, પૂર્વક્ષેત્રે (ભરતક્ષેત્રમાં) પૂર્વ દિશામાં રહેલી પૂર્વ (નવી રચેલી) નગરી વિનીતામાં રહી ત્રેસઠ લાખ પૂર્વસુધી રાજયરિથતિ ચલાવી. એક વખતે જાણે લજજા પામતા હોય તેમ, પ્રભુ ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા તેવામાં તેમના ભાવને અનુસરીને પોતાની સ્થિતિને જાળવનારા લોકાંતિક દેવતાઓએ, “જય” એવા શબ્દો ઉચ્ચારતાં તથા પ્રણામ કરતાં ત્યાં આવીને “હે પ્રભુ! મુક્તિમાર્ગ બતાવો” એવી વિજ્ઞપ્તિ કરી. આ પ્રમાણે કહીને તે દેવતાઓના ગયા પછી જગત્પતિ ભગવાન્ પૂર્વ જિનેથરોની સ્થિતિનું સ્મરણ કરી ક્રીડાનું વિસર્જન કરીને પોતાને સ્થાનકે આવ્યા. પોતે રાજયથી વિરક્ત થઈ જયેષ્ઠપુત્ર ભરતચકીને નીતિવાક્યામૃતવડે શાંત કરી રાજયધારી કર્યો. બીજા બાહુબલિ વિગેરે પુત્રોને પોતપોતાના નામથી અંકિત એવા દેશો વહેંચી આપ્યા. એવી રીતે રાજયના ભારને ત્યાગ કરીને જગતને રણમાંથી મુક્ત કરવાના કારણરૂપ સાંવત્સરિક દાન આપવાને પ્રભુએ આરંભ કર્યો. ઇંદ્રની આજ્ઞાથી કુબેરે ચત્વર વિગેરેમાં રહેલું, મર્યાદાને ઉછેરવાળું અને ધણુંવગરનું દ્રવ્ય લાવી લાવીને પૂરું પાડ્યું. હંમેશાં જગત્પતિ સભામાં આવી યાચકોને સુવર્ણ, રન અને ધન તેની ઈચ્છા પ્રમાણે આપતા હતા. સૂર્યના ઉદયથી માંડીને ભેજનળાસુધી એક કટિ અને આઠ લાખ સુવર્ણનું વાંછિત દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં ત્રણ અઠ્યાશી કોટિ અને એંશી લાખ સુવર્ણનું દાન પ્રભુએ આપ્યું. ત્યારથી માંડીને સર્વ પ્રાણુઓને હિતકારી દાનધર્મ આ જગતમાં પ્રવર્યો છે. કેમકે “જેમ અહંતે પ્રવર્તે છે તેમ લેકેની પ્રવૃત્તિ પણ થાય છે.” પછી ચૈત્ર વદી અષ્ટમીને દિવસે', ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવતાં, અપરા
૧ આ દેશના પ્રવર્તન પ્રમાણે ફાગણ વદી ૮ મે.
For Private and Personal Use Only