Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 53
________________ પ્રતીક્ષામાં બેઠા હતા. વિષ્ણુએ વડવાનલ સંકટ નિવારણ અંગેની સર્વ યોજના સંભળાવી. બધા જ પ્રસન્ન થયા. પણ આ કામ કરે કોણ ? વિષ્ણુએ બ્રહ્માજીને સમજાવ્યું કે આ કાર્યનું સામર્થ્ય કેવળ તમારી બેટી સરસ્વતીમાં જ છે. જો તે આ કાર્ય પૂર્ણ કરે તો જ આ આપત્તિ ટળે. બ્રહ્માજીએ આ યોજનાને ધ્યાનથી સાંભળી વધાવી લઈ પોતાની વહાલસોઈ બેટીને બોલાવી. સરસ્વતી સમક્ષ તેમણે દેવોની આ આપત્તિ નિવારવા માટેનું વિષ્ણુનું સુચન રજુ કર્યું. સરસ્વતીએ કહ્યું કે જ્યાં સુધી બેટી કુમારિકા છે ત્યાં સુધી તે પિતાને અધીન છે. પરણ્યા બાદ તે પતિને અધીન બને છે. હું એક કુમારિકા છું. તેથી પિતાનો જે નિર્ણય એ જ મારો. સરસ્વતીના આવા બોધભર્યા વચનને જાણી સૌ પ્રસન્ન બન્યા. સરસ્વતીએ પરોપકારાયમિદં શરિર ના શાસ્ત્ર વચન મુજબ સહર્ષ સહમતી દર્શાવી. યોજના તૈયાર થઈ. આ યોજના મુજબ વડવાનલ જ્યાં ઉપસ્થિત છે તે ઉર્વગ આશ્રમમાં પિંપળાના વૃક્ષ ઉપર સરસ્વતી જળસ્વરૂપે ત્રાટકી મેઘના પ્રચંડ ગડગડાટ સાથે સરસ્વતી એક વિશાળ નદીના રૂપમાં પલટાઈ ગઈ. વિષ્ણુએ વડવાનલને એક શાન્તકુંભમાં સ્થાપી સરસ્વતીની ગોદમાં અર્પણ કર્યો. ઉપસ્થિત દેવસમૂહે આનંદોલ્લાસથી દુંદુભિયોના નાદ વડે આકાશ ગજાવી દીધું. વિદાય સમયે વિષ્ણુએ વડવાનલના દાહથી તેને અધવચ્ચે છોડી ન દેવા સરસ્વતીને શિખામણ આપી કહ્યું કે જો દાહ સહેવાતો ન હોય તો ભૂગર્ભમાં અંતર્ધાન થઈ વહન કરવું. ગમે તેમ થાય પણ ઘડી ઉપર અને ઘડી ભૂતલ એ રીતે વહન કરતાં કરતાં તેને પશ્ચિમ સાગરમાં પહોંચાડવો. પ્રયાણ સમયે ઉપસ્થિત સખિઓએ સરસ્વતીને પ્રાચીના જળમાં મળવાનું વચન આપ્યું. સર્વ દેવોના આર્શીવાદ લઈ સરસ્વતી વડવાનલને ગોદમાં રાખી પશ્ચિમ સાગર ભણી ચાલી નીકળી. વિષ્ણુની સલાહ અનુસાર પ્રકટ અને અંતર્ધાન વહેતી સરસ્વતી પશ્ચિમ સાગરને કિનારે પ્રભાસ પાસે જઈ પહોંચી. પોતાના તગડા ભક્ષને નિહાળતાં જ વડવાનલ ઉન્મત્ત બની ગયો. સરસ્વતીના કાર્યથી ખુશખુશાલ બનેલા વડવાનલે સરસ્વતીને વરદાન માંગવા કહ્યું. ઉપસ્થિત વિષ્ણુની સલાહ અનુસાર સરસ્વતીએ સોયના નાકા જેવા છિદ્રવાળા મુખથી જળદેવને ભક્ષણ કરવાનું વરદાન મેળવી લીધું. વડવાનલને જોઈ સાગર અને સાગરના જળચર જીવો ગભરાઈ ગયાં. આર્તનાદ કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. સાગર પણ સર્વનાશની ચિંતાથી વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. વિષ્ણુએ સૌને વડવાનલથી નિર્ભય બનવાનું આશ્વાસન આપી શાંત કર્યા. વડવાનલના ભક્ષથી સર્વનાશ ઉત્પન્ન ન થાય તે રીતે સાગરને અક્ષય બનાવવાનો કોલ આપ્યો. વિષ્ણુના અભયવચનથી સૌ ભયમુક્ત બન્યા.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204