Book Title: Sangit Nrutyo Natya Sambandhi Jain Ullekho Ane Grantho
Author(s): Hiralal R Kapadia
Publisher: Mukti Kamal Jain Mohanmala

View full book text
Previous | Next

Page 195
________________ જૈન ઉલેખે અને ગ્રન્થ આષાઢ જોયું તે દિવ્ય પ્રભાવને લઈને એ જોવામાં એ આચાર્ય ભૂખ, તરસ અને સમયને પણ જાણી શક્યા નહિ. આ હકીકત પાઈયટીકા (ભા. ૧)માં લગભગ અક્ષરશઃ જોવાય છે. દેવસૂરિની ગીત-બડકપૂર્વકની રસિકની રચના અને એમનું મૃત્ય- પ્રભાચન્દ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા પ્રભાવકચરિતમાં આઠમાં શૃંગ તરીકે “વૃદ્ધવાદી” દેવસૂરિનું ચરિત્ર આલેખ્યું છે. એમાં પૃ. ૬૦માં એવો ઉલ્લેખ છે કે એ સૂરિ ભૃગુકચ્છ ભરૂચ)ની પાસે આવતાં ગોવાળાના કહેવાથી એમણે ભમી ભમીને તાલ સાથે મેળ મળે તેમ તાળીઓ પાડી તરત જ પ્રાકૃતમાં નિમ્નલિખિત રાસક રએ અને એઓ એ રસક એ ગોવાળોને સુપરિચિત ગીતના હેબડકાપૂર્વક મોટેથી બોલ્યા : નવિ મારિઆઈ નવિ ચેરિઅઈ, પરદારહ અણુ નિવારિઆઇ વાહ વિ થવં દઈઅઇ, તઉ સગિ ટુ સ્ટુગુ જાઈયઈ”. એ સાંભળી પ્રતિબંધ પામેલા ગોવાળોએ “તાલરાસક” નામનું ગામ વસાવ્યું, રાજશેખરસૂરિએ વિ. સં. ૧૪૦ ૫માં રચેલા પ્રબકેશ યાને ચતુર્વિશત-પ્રબ ( પૃ. ૩૨)માં કહ્યું છે કે સિદ્ધસેન દિવાકર સાથે વધવાદી દેવરને વાદવિવાદ ગવાળ સમક્ષ થતાં એ સરિએ કછોટો મજબૂત બાંધી ધિન્ડિણી” છંદમાં “નવ મારિયઈ”થી શરૂ થતાં બે પદ્યો ગાયાં અને નૃત્ય કરતાં પણ એક પદ્ય લલકાર્યું. નવ નાટક – રશેખરસૂરિએ રચેલી અને એમના શિષ્ય હેમચન્દ્ર વિ. સં. ૧૪ર૮માં લખેલી સિરિવાલકહા (ગા. ૪૬૮-૪૬૯)માં કહ્યું છે કે મહાકાલ રાજાએ પિતાની પુત્રી શ્રીપાલને પરણાવી તે સમયે એણે એને નવ નાટકો આપ્યાં.

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252