Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 572
________________ ૩૫: આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ - 115 ૫૫૧ બોલવાનું કહેનારા, જૂઠું બોલતાં શીખવનારા, જૂઠા સાક્ષીઓ ઊભા ક૨વાની સલાહ આપનારા, આવાઓ તો દુનિયાને શ્રાપરૂપ છે. એવાઓથી કદી દુનિયાનો ઉદય થયો નથી, થતો નથી અને થવાનો નથી. પેટ માટે પાપસ્થાનકો સેવનારા, સેવરાવનારા, સેવવાની સલાહ આપનારા અને સારું મનાવનારા તો જગતને ત્રાસરૂપ છે. એવાથી કદી ઉદ્ધાર થાય નહિ. આજના ધારાશાસ્ત્રીઓએ ચોરોને કે ખૂનીઓને ફરી ગુનો નહિ કરવાની સલાહ આપી ? એની પ્રતિજ્ઞા કરાવી ? નાં, એ તો ઊલટા પાપના માર્ગ ખુલ્લા કરે છે. ગુનેગારો માને છે કે, ‘ગુનો ક૨વો, પકડાઈ જવાય તો ધારાશાસ્ત્રીને શરણે જવું અને એ કહે એ રીતે જુઠ્ઠાં સાક્ષી વગેરે લાવીને છૂટી જવું !' વેપારીઓ પણ ખોટા ચોપડા લખે અને કેસ વકીલને સોંપે. સૉલિસિટરની કંપનીઓ સાથે એટલા માટે જ કાયમનો સંબંધ ૨ખાય છે કે પછી ગુના માટે કોઈ ભય જ નહિ. આવી માન્યતા તેઓ ધરાવે છે. પણ કર્મ કોઈને છોડતું નથી. 1739 અણીના અવસરે ટકે તે જ ધર્મી અણીના અવસરે ટકે એ જ ધર્મ. આપણામાં એવાં સામર્થ્ય તથા શૌર્ય ન હોય એ બને પણ એ મહાપુરુષનાં દૃષ્ટાંતો લઈને તેવા બનવાની ભાવના રાખવી તથા એવી જ પેરવી કરવી. પરંતુ એથી ઊંધું કરવામાં ડહાપણ ન વાપરવું. જો લોભી અને ધર્મહીનો જગતમાં સુખી હોત તો ધર્મની કિંમત કશી જ ન હોત. મોટા શહેનશાહોને પણ અંતે શરણ તો ધર્મનું જ છે. એ વખતે તેની પાસે સોનૈયાનો ઢગલો કરવામાં આવે તે એની સદ્ગતિ ન કરે. પણ અરિહંતનું શરણ સંભળાવાય..તે વખતે જો એને સદ્ભાવના આવે તો સદ્ગતિ થાય. ઉન્માર્ગગામીના સહાયક પણ એટલા જ દોષના ભાગીદાર છે. તે વિષયમાં શાસ્ત્રકાર ભગવંત હજી પણ વિશેષ જે કાંઈ ફરમાવે છે તે હવે પછી.

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630