Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 242
________________ છંદના સામાચારી શિષ્ય : મારો એવો ખ્યાલ છે કે આજના કાળમાં ૧૦ સાધુના ગ્રુપમાં બે કે ત્રણ જણ બધાની ગોચરી લાવતા હોય છે પરંતુ ભૂતકાળમાં તો લગભગ બધા જ પોતપોતાની ગોચરી જાતે લાવનારા હતા. ગુરુ, ગ્લાન, બાલાદિ કેટલાંક સંયમીઓ સિવાય તમામ સંયમીઓ બે-બેની ટુકડીમાં વહોરવા નીકળતા અને પોતાના પુરતી જ ગોચરી લાવતા કોઈ વધારે ગોચરી ન લાવે. કેમકે એણે લાવેલી વધા૨ે ગોચરી બીજા કોણ વાપરે ? બધા પોત-પોતાની પુરતી ગોચરી લઈને જ આવ્યા છે. હવે જ્યારે કોઈપણ સાધુને વધારે ગોચરી લાવવાની છૂટ જ નથી. તો લબ્ધિધારી સાધુ પણ વધારે ગોચરી નજ લાવે ને ? તો પછી એ છંદના શી રીતે કરે ? છંદના કરીને બીજાને આપે તો પોતાને ભૂખ્યા રહેવાનો વખત આવે, કેમકે એ પોતાના પુરતી જ માપસર ગોચરી લાવેલો હતો. ગુરુ : તારી બધી વાત સાચી. પણ મેં તને પહેલા જ વાત કરી કે ગ્લાનાદિના માટે આ લબ્ધિધારી અને તપસ્વીને વધારે લાવવાની છૂટ આપવામાં આવી છે, કેમકે એમાં તેઓને પુષ્કળ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. બીજા સાધુઓને નિમંત્રણાની રજા નથી જ. શિષ્ય : લબ્ધિધા૨ી સંયમી ગ્લાન, બાલ, ગુરુ વગેરે માટે અનુકૂળ દ્રવ્યો લાવે અને પછી ગુરુની રજા લઈ બધાને વિનંતિ કરે. બધા જ એ દ્રવ્યો લેવાની ના પાડી દે તો ? ગ્લાનાદિને વા૫૨વાની ઈચ્છા ન હોય અથવા બીજા કોઈ સંયમીએ લાવેલા દ્રવ્યો વાપરી લીધા હોય તો તેઓ આ લબ્ધિધારીએ લાવેલી વસ્તુઓ ન પણ લે. તો અહીં તો ભક્તિ કરવાનો લાભ ન મળવાથી કરેલી છંદના તો નકામી જ ગઈને ? આજે ય એવું જોવા મળે છે કે ભક્તિભાવવાળા સંયમીઓ ગુર્વાદિ માટે ઘણી વસ્તુ લાવે છતાં ગુર્વાદ એ ન પણ લે તો એ વખતે કરેલી છંદનાનું ફળ તો ન જ મળે ને ? ગુરુ ઃ કર્મનો ક્ષય કે કર્મનો બંધ મુખ્યત્વે આત્માના પરિણામને આધીન છે. જો લબ્ધિધારીના ભાવ નિર્મળ હોય તો ગ્લાનાદિ ભલેને એની વસ્તુ ન લે તો પણ લબ્ધિધારીને પુષ્કળ કર્મક્ષય થાય જ. ગ્લાન એ વસ્તુઓ લે અને લબ્ધિધારી આપે.... આ બધી બાહ્યક્રિયાઓ તો ગૌણ છે. મુખ્યત્વે તો સાધુનો પરિણામ જ છે. અરે, કદાચ એવું બને કે લબ્ધિધારીની વિનંતિ સ્વીકારી બાલ વગેરે સંયમીઓ એ લાવેલ મિષ્ટાદિ લે તો કદાચ લબ્ધિધારીનો અધ્યવસાય બદલાઈ પણ જાય. “મારે મિષ્ટ ખાવું હતું. પણ આણે મિષ્ટ લઈ લીધું. મેં ભુલ કરી. વિનંતિ જ ન કરી હોત તો સારું થાત.” આવા વિચારો આવે તો તો અહીં ભક્તિ થઈ હોવા છતાં લબ્ધિધારીને તો આવા અશુભપરિણામને લીધે કર્મબંધ જ થાય. એટલે સામેવાળો સાધુ તમારી ભક્તિ સ્વીકારે કે ન સ્વીકારે. એની ચિંતા કરવાને બદલે સંયમીએ પોતાના પરિણામો સતત શુભ જ રહે એની કાળજી વધારે કરવાની છે. શિષ્ય : છતાં એક વાત તો અનુભવાય છે કે સંયમી ગુર્વાદિને માટે અનુકૂળ વસ્તુઓ લાવે અને જો ગુર્વાદિ એ અનુકૂળ વસ્તુઓને વાપરે તો સંયમીને ખૂબ જ હર્ષ થાય. “અહો ! આજે મને ખૂબ લાભ મળ્યો. મારું લાવેલું દ્રવ્ય ગુરુ / ગ્લાનાદિએ વાપર્યું. ખરેખર મારું આ શરીર અસાર જ છે. આ શરીરની શક્તિનું ફળ માત્ર એટલું જ છે કે આ મહાત્માઓની હું વૈયાવચ્ચ કરું. બાકી આ શરીર કંઈ જ કામનું નથી.” આવા પોતાના જ સુકૃતની અનુમોદના રૂપ ભાવો સંયમીને ઊછળે છે. પણ જ્યારે ઘણું ફરીને કોઈ દ્રવ્ય મેળવ્યું હોય અને ઉપાશ્રયમાં આવી ગુરુ વગેરેને વિનંતિ કરે અને છતાં જો તેઓ ન લે તો સંયમીને અફસોસ થાય છે કે “અરેરે ! આ દ્રવ્ય માટે કેટલા ઘરોમાં ફર્યો ! થાકી ગયો. પણ ગુરુએ તો એ દ્રવ્ય વાપર્યું જ નહિ. મારું ભ્રમણ નિષ્ફળ ગયું.” સંયમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૭ ૨૩૦

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278