Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 165
________________ ૧૪૬ કૂપદષ્ટાન્તવિશદીકરણ શ્લોક-૪ पूजाभ्यन्तरीभूतस्य "देहादिनिमित्त पि हु जे कायवहंमि तह पयन्ति । जिणपूआकायवमि तेसिमपवत्तण मोहो" (पू.पश्चा. ४५)। इत्यादिना उपत्यकरणस्याप्यनुज्ञानात् , अप्रवृत्तिनिन्दार्थवादस्य विध्याbu क्षेपकत्वात् । विधिस्पष्टे च निषेधानवकाशात् । यदि च विधिसामग्र्येऽपि पुष्पजलोपहारादि. रूपहिंसादोषोऽत्र परिगण्येत, तदा तस्य पूजानान्तरीयकत्वेन "कायवहो जइवि होइ उ कहंचि" त्ति नावक्ष्यदाचार्यः, किन्तु “कायवहो होइ जइवि नियमेण"मित्येवाऽवक्ष्यत् । अपि च पदार्थवाक्यार्थ-महावाक्यार्थ-ऐदंपर्यार्थविचारणायां हिंसासामान्यस्य निषेधस्य अविधिनिषेधपरताया एव व्यवस्थितत्वात् विधिसामग्ये न हिंसादोषः, अन्यथा चैत्यगृह-लोचकरणादौ तत्सम्भवो दुर्निवार इत्यादिसूक्ष्ममीक्षितमुपदेशपदादौ । કહેવાને આશય એ છે કે કાયવધ બે પ્રકારે છે–એક શ્રી તવાર્થસૂત્રમાં પમાન કાળ ચારે હિંસા” (પ્રમાદપૂર્વક પ્રાણોને નાશ કરવો એ હિંસા છે) આવું જે હિંસાનું લક્ષણ બાંધ્યું છે તદ્રુપ કાયવધ અને બીજે, જયાં જયણા વગેરે વિધિનું પરિપૂર્ણ પાલન હોવાના કારણે પ્રમાદ ન હોવા છતાં જળ-પુષ્પ ચડાવવા વગેરેના કારણે અપકાય વગેરે જીવોના પ્રાણને જે નાશ થાય છે તદ્રુપ કાયવધ. શ્રી જિનેશ્વરદેએ જે કાયવધને નિષેધ કર્યો છે તે માત્ર પ્રથમ પ્રકારના કાયવધનો જ જાણો. એટલે કે પ્રમાદભાવે જયણા વગર જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં થનારા કાયવધને નિષેધ કરાયો છે. બીજા પ્રકારના કાયવધનો નહિ. જળ-પુષ્પ ચડાવવાં વગેરે રૂપ તે દ્વિતીય પ્રકારનો કાયવધ કે જે જિનપૂજામાં અંતર્ગત જ એક અનિવાર્ય અંશરૂપ છે, તે કાયવઘગર્ભિત પ્રવૃત્તિની તે, પૂજાપંચાશકના નીચેના વચને દ્વારા, જાણીને પણ કરવાની શાસ્ત્રકારોએ અનુજ્ઞા આપી છે. પૂજા પંચાશક (૪૫)નું તે વચન આ છે–“જે (ગ્રહ) શરીર વગેરે માટે કાયવધ કરવામાં તે તે રીતે પ્રવર્તે છે તેઓ જિનપૂજામાં થતા કાયવધમાં ન પ્રવર્તે છે તે તેઓને મેહ=અજ્ઞાન છે.” પ્રશ્ન :- “ગૃહસ્થોએ જિનપૂજામાં થનારા કાયવધમાં પ્રવર્તવું જોઈએ” એવી રીતે એ કાયવધની આમાં ક્યાં અનુજ્ઞા આપી છે ? ( જળપૂજાદિભાવી દ્રવ્યહિંસાની અનુજ્ઞા કઈ રીતે?). ઉત્તર – જિનપૂજામાં થનાર કાયવધની પ્રવૃત્તિ ન કરે એ તેઓને મેહ છે” આ રીતે અપ્રવૃત્તિની જે નિંદા કરી છે એ જ, તથા અન્યત્ર (શાસ્ત્રમાં) જિનપૂજાદિકૃત્યની જે પ્રશંસા (અર્થવાદ) કરાયેલ છે તે જ પ્રવૃત્તિના વિધાનને ખેંચી લાવે છે, અર્થાત્ પ્રવૃત્તિનું વિધાન કરી દે છે, એટલે કે પ્રવૃત્તિની અનુજ્ઞા આપી દે છે. આમ જળ–પુષ્પપૂજા વગેરેમાં જે દ્રવ્યહિંસારૂપ કાયવધ છે તેનું તે સ્પષ્ટ વિધાન જ હોવાથી, શાસ્ત્રકાર ભગવંતોએ તેને નિષેધ કર્યો હોય એવી વાતને તો કઈ અવકાશ જ રહેતો નથી. (અને તેથી એ કાયવધ નિષિદ્ધ ન હોઈ એના કારણે સ્નાનપૂજાદિ નિષિદ્ધના આસેવનરૂપ કે અલ્પપાપબંધની કારણુતારૂપ દષવાળા (દુષ્ટ) બનતા જ નથી.) બાકી, સંપૂર્ણ વિધિપાલન હોવા છતાં પણ પુષ્પ-જળ વગેરે ચડાવવામાં થતી

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204