Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૪૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અ તવ તી પ્રદેશની જેવા શાલે છે. તે પછી જગતના સંહાર અટકવાથી ષિત થયેલા ચાકરની માફક ધીમે ધીમે તે પૃથ્વીની રજને દૂર કરે છે. વિવેકવંત એવા તેએ સમવસરણની ભૂમિની જેમ ગંધાંભુની વૃષ્ટિ વૉ ચારે બાજુથી તે ભૂમિને સિંચન કરે છે, તે રણભૂમિમાં, મંત્રવાદિ મ`ડલભૂમિમાં પુષ્પા નાંખે તેમ તે દેવા વિકસિત પુષ્પા નાંખે છે.
ભરત-ખાહુબલિનુ દષ્ટિપ્રમુખ યુદ્ધ
હવે તે અન્ને રાજકુ જરા હાથી ઉપરથી ઉતરીને હાથીની જેમ ગર્જના કરતા યુદ્ધ ભૂમિમાં પ્રવેશ કરે છે. અને મહાતેજસ્વી ક્રીડા વડે ચાલતાં પગલે પગલે ધૂમરાજને પણ પ્રાણસ’શયમાં આરેપણ કરે છે.
પ્રથમ દૃષ્ટિયુદ્ધ વડે યુદ્ધ કરવું, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તેએ બીજા શકે અને ઈશાન હાય તેમ અનિમેષ નેત્રવાળા સન્મુખ ઊભા રહે છે. બન્ને તરફ રહેલા સૂ ચંદ્ર સંધ્યાસમયને વિષે આકાશની શાભાને ધારણ કરતા લાલ નેત્રવાળા સન્મુખ એક-બીજાના મુખને જુએ છે. છે. આ પ્રમાણે ધ્યાન કરતા ચેાગીની જેમ બન્ને નિશ્ચલ નેત્રવાળા પરસ્પર જોતાં તેએ ચિરકાળ ઊભા રહે છે, તે વખતે ઋષભસ્વામીના મેટા પુત્ર ભરતનાં નેત્રા સૂર્યના કિરણથી આક્રાંત થયેલા નીલકમળની જેમ ખીડાઈ જાય છે.
ભરતના છ ખંડના વિજયથી મેળવેલી મેટી