Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 238
________________ કેટલાક લોકો વેદ, પુરાણ, ગીતા, બાઈબલ, કુરાન કે આગમને કંઠસ્થ કરી લેવાને જ ધર્મ માને છે. કેટલાક પૂજા, પ્રાર્થના, નમાજ, સંધ્યા વગેરે બાહ્ય ક્રિયાઓમાં જ ધર્મ સમજે છે. કેટલાક દાઢી, ચોટલી, જનોઈ, તિલક, મુહપત્તી જેવાને ધર્મનું ચિહ્ન સમજીને તેને લગાડવામાં જ ધર્મની ઈતિશ્રી માની બેઠા છે. આ રીતે ઘણા સંપ્રદાયભક્ત લોકો પોતાના સંપ્રદાયથી ભિન્ન સંપ્રદાયોના અથવા પંથોના લોકો માટે હે રાખવામાં, તેમને હલકા દેખાડવામાં, તેમની સાથે લડાઈ કરવામાં અને છેક તેમને મારી નાખવામાં ધર્મ સમજે છે. શ્રદ્ધાળુઓને તેમના પિતૃઓને સ્વર્ગમાં મોકલવામાં અને સુખી કરવાની લાલચ આપીને તેમની પાસેથી દાન-દક્ષિણા અને રૂપિયા પડાવવામાં ઘણા પંડા-પૂજારીઓ ધર્મ સમજે છે. ઘણા અહીં પૈસા લઈને સ્વર્ગની હૂંડી લખી આપવામાં ધર્મ સમજે છે. આ રીતે ઘણા લોકો સંપ્રદાય, પંથ, વાદ અથવા મજહબને જ વાસ્તવિક ધર્મ માને છે. કેટલાક યશ, હોમ આદિ ધાર્મિક ક્રિયાઓમાં લાખો રૂપિયા ખર્ચી નાખવાને ધર્મ ગણે છે. ઊંડાણથી વિચારીશું તો ખ્યાલ આવશે કે આ શુદ્ધ ધર્મ નથી. જો તેમાં માનવતા, ન્યાય, નીતિ, અહિંસા, સત્ય આદિ ધર્મનાં તત્ત્વ હોય તો આ બધાં ધર્મનાં સાધન માત્ર થઈ શકે. જો આ ધર્મનાં તત્ત્વ ન હોય, તો માત્ર ક્રિયાકાંડ સારહીન છે. અગ્નિમાંથી કોઈ ઉષ્ણતા કાઢી લે અથવા ઘીમાંથી સ્નિગ્ધતાને અલગ કરી દે, તો પછી તેને કોઈ અગ્નિ કે ઘી નહિ કહે. આ રીતે જે ક્રિયાકાંડો, પંથો અથવા પ્રતીકોમાંથી શુદ્ધધર્મનું તત્ત્વ નીકળી ગયું હોય, જેમાંથી શુદ્ધધર્મની પ્રેરણા ન મળતી હોય, તો તેને ધર્મસાધન પણ કહી શકાય નહીં. યોગી આનંદધનજીએ શ્રીધર્મનાથ ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું છે – “ઘ ઘર્ષ કરતો વા પિરે ! धर्म (का) न जाने मर्म, जिनेश्वर ।" એટલે શુદ્ધ ધર્મનાં લક્ષણ પ્રાચીન આચાર્યોએ કહ્યાં છે – હુતી પ્રવૃતત્તમાત્માનં પારવતતિ ઘર્ષ જે દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે એટલે કે ખરાબ કાર્યોમાંથી ધર્મનું સાચું સ્વરૂપ ૨૨૦

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284