Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 242
________________ uથના ઇશારાથી પોતાનું પેટ બતાવી રહ્યો હતો. આ જોઈને ફાતિમા તરત દોડી, એ ભૂખ્યાનો હાથ પકડીને ઘરમાં લઈ આવીને બેસાડ્યો અને પોતાના હાથે તેના મોંમાં કોળિયા આપવા લાગી. ઘરમાં હતું તેટલું બધું ભોજન ખવડાવી દીધું. અંધ ભિખારી અંતરના આશીર્વાદ આપતો વિદાય થયો. તે દિવસે બંને ભૂખ્યાં રહ્યાં અને બીજા દિવસે એમના પેટમાં અન ગયું. સાહજિક ધર્મપાલન આ છે સહજ, સ્વાભાવિક ધર્માચરણનું ઉદાહરણ. ધર્મનું સાહજિક્તાથી પાલન કરનાર વ્યક્તિ દંભ કે આડંબર કરશે નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના ધર્મથી ડગવાનો વિચાર નહીં કરે. આનાથી વિપરીત રીતે ધન અને સુખ-સુવિધાની ગુલામ વ્યક્તિ વખત આવ્યે ધર્મને ત્યજી દે છે. આવી વ્યક્તિ ધર્મની ગમે તેટલી વ્યાખ્યા આપી શકતી હોય, ગમે તેટલાં શાસ્ત્રો તેણે કંઠસ્થ કર્યા હોય અથવા તો શાસ્ત્રનું અધ્યયન કરતી હોય, પણ તે ધર્મપાલક કહેવાતી નથી. સૌરાષ્ટ્રના નાનકડા ગામની ઘટના છે. ત્રીસ વર્ષની એક હરિજન બહેન પાણી ભરવા કૂવા પર ગઈ. માટલી ભરીને તેણે ઘડો ભરવા માટે જેવું દોરડું કૂવામાં નાખ્યું કે તેનો પગ દોરડામાં ફસાઈ ગયો. કૂવાના કાંઠા પર કઠેડો બાંધ્યો નહોતો, તેથી એકદમ એનો પગ લપસ્યો અને પેલી સ્ત્રી કૂવામાં પડી. સાંજનો સમય હોવાથી કૂવા પર પનિહારીઓ અને ઢોરોને પાણી પિવડાવવા આવનારા પુરુષોની સંખ્યા ઘણી હતી. કૂવામાં હરિજન સ્ત્રી પડી ગયાની વાત સાંભળીને આસપાસના લોકો દોડતાં આવ્યાં. કૂવાની આસપાસ મોટી ભીડ જામી ગઈ. કૂવામાં પડેલી બહેન “બચાવો, બચાવો'ની બૂમો પાડતી હતી, પરંતુ આગંતુક લોકોએ માત્ર એટલી જ પૂછપરછ કરી, “કેમ પડી ? કેવી રીતે પડી ?” પરંતુ ડૂબતી બહેનને બચાવવા માટે કૂવામાં ઊતરવાનો કે બચાવવાનો પ્રયાસ ઊભેલા લોકોમાંથી કોઈએ કર્યો નહીં. કોઈએ એ બહેનના પતિને ખબર આપી, તો એ બિચારો દોડતો-દોડતો આવ્યો. પોતાની પત્નીને બચાવવા પહેલાં તો એણે કૂવામાં ભૂસકો મારવાનું વિચાર્યું, પરંતુ કૂવામાં નજર નાખતાં તેની ઊંડાઈ જોઈને તે નાહિંમત . ધર્મનું સાચું સ્વરૂપ ૨૩૧ :

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284