Book Title: Ratnatrayina Ajwala
Author(s): Kumarpal Desai
Publisher: Anukampa Trust Prakashan

View full book text
Previous | Next

Page 259
________________ કેટલાક લોકો બીજા પુત્રની જેમ પ્રાપ્ત પુણ્યની મૂડીને સાચવીને રાખે છે, પરંતુ તે પુરયમાં વૃદ્ધિ કરતા નથી. થોડું પુણ્ય-ઉપાર્જન કરે છે, તેટલું જ ખર્ચી નાખે છે. થોડુંક પુણ્યઉપાર્જને ધાર્મિક ક્રિયાઓ દિખાવ કરવા માટે જ) દ્વારા કરે છે, પરંતુ બીજી બાજુ પોતાના વ્યાપારધંધામાં કે લોકવ્યવહારમાં નીતિ, ન્યાય અને ધર્મનો વિચાર કરતા નથી. આના પરિણામે પુણ્યની મૂડી અહીંયાં જ સમાપ્ત થઈ જાય છે. આવા લોકો પ્રમાદી બની જાય છે અને એવા ગર્વમાં ડોલે છે કે અમારી પાસે પૂર્વપુણ્યના પ્રતાપે બધું જ છે, પરંતુ તેઓ ભવિષ્યના પુણ્ય માટે પુરુષાર્થ ખેડવાનો વિચાર કરતા નથી. કેટલાક લોકો ત્રીજા ઉત્તમ પુત્ર જેવા હોય છે. તેઓ પૂર્વપુણ્યની મૂડીને તો સાચવીને રાખે છે. નવા પુણ્યની સંપત્તિ એકઠી કરે છે એટલે કે તેઓ પોતાના જીવનમાં સદાચાર, પ્રામાણિકતા, અહિંસા, સત્ય, કુવ્યસનત્યાગ, નીતિ, ન્યાય વગેરેનું પાલન અને દાન, શીલ, તપ અને ભાવનું યથાર્થ આચરણ કરે છે, એનાથી નવા પુણ્યની મૂડી ઉમેરાય છે. એનો અર્થ એ છે કે તેઓ ભૂતકાળની ભાગ્યપિતાની આપેલી પુણ્યમૂડી પર જ મોજમજા કરતા નથી, પરંતુ પોતાના શુભ પુરુષાર્થથી નવા પુણ્યની ખેતી પણ પ્રયકાર્યનાં બીજ વાવીને કરે છે. બ-હીન અને ગરીબ લોકોના ભોગે આગળ વધે છે, પરંતુ એ પછી ધન અને સત્તાના મદમાં અભિમાની થઈને તેઓને જ હેરાન કરે છે, ચડે છે, શોષણ કરે છે, જુલમ ગુજારે છે, તેઓ પેલા પ્રથમ કપૂતની જેમ પોતાની પૂર્વપુણ્યની મૂડીને પોતાના જ હાથે ખોઈ બેસે છે, નવી પૂંજી વધારવાની વાત તો દૂર રહી. પુણ્ય અને જાની પરિભાષા આવી છરા પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય ? પુણ્ય શું છે અને પાપ શું છે ? આ વાત જ્ઞાની પુરુષો માટે તો હથેળીની રેખાની જેમ સ્પષ્ટ છે, પરંતુ આપણે અસત્યના આવરણથી ઢંકાયેલા હોવાથી શાસ્ત્રોમાં જે વચન આપ્યાં છે તેના આધારે પુણ્ય અને પાપ દર્શાવી શકીએ છીએ. સોનું તો એક જ છે. એ રાજાના મસ્તક પર મુગટ બનીને શોભા ૨૪૮ રત્નત્રયીનાં અજવાળાં

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284