Book Title: Pandav Charitra Mahakava
Author(s): Bhanuchandravijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 502
________________ સર્ગ : ૧૮] [૪૯૩. જન દૂર છે. કાલે આપણે પ્રાયઃ ત્યાં પહોંચી જઈશું. પ્રભુના દર્શન કરીને પારણું કરવાનો અભિગ્રહ ધારણ કરીને હસ્તિકલ્પનગરમાં પ્રવેશ કર્યો, તે વખતે ઉજજયન્ત ગિરિના માર્ગેથી આવતા કાળા શાહી જેવા મુખવાળા માણસને જોઈ આશ્ચર્યચક્તિ બનીને પાંડવો ઉભા હતા, ત્યાંજ આકાશમાંથી એક ચારણમુનિ આવ્યા. શેકાતુરમલીન મુખવાળા ચારણમુનિએ ધર્મશેષમુનિ તથા પાંડવોને વંદન કર્યું. પ્રભુના સમાચાર પૂછયા ત્યારે ચારણમુનિએ કહ્યું કે કર્મોને ક્ષય થવાથી પિતાનું નિર્વાણ જાણી ભગવાને રેવતાચલપર્વત ઉપર દેવતાઓએ રચેલા સમવસરણમાં જગતના જીવે ઉપર અનુકંપાની ભાવનાથી અંતિમ દેશના આપી, પ્રભુની દેશનાથી પ્રતિબંધ પામેલા. લોકોએ વિવિધ પ્રકારના વ્રત નિયમ અંગિકાર કર્યા, પાંચસે છત્રીસ સાધુઓ સહિત પાદપોપગમન માસક્ષમણ કરી અષાઢ સુદ આઠમના ચિત્રા નક્ષત્રમાં શકેન્દ્રપ્રમુખ અનેક દેવતાઓ–દેવીઓ-મનુષ્ય-તિર્યોથી પરિવરેલા. પ્રભુએ શૈલેશીકરણ કરીને સાધુઓ સહિત બંધાઓએ કર્મોને ક્ષય કર્યો, એક હજાર વર્ષના આયુષ્ય-- વાળા જગતમાં સૂર્ય સમાન, પ્રભુએ અવ્યાબાધ સુખવાળું નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ પ્રદ્યુમ્ન–શાબ વિગેરે. કુમારે, રથનેમી વિગેરે ભાઈઓ, કૃષ્ણની આઠ પટરાણીએ, બીજા મુનિઓ, રાજીમતી વિગેરે સાધ્વીઓ મેક્ષે ગયા, પ્રભુના માતા પિતા શિવાદેવી તથા સમુદ્રવિજય વિગેરે દશાહે દેવલેક ગયા, ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે પાલખી.. aોકોએ સિરાશિ

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506