________________
૧૩૦
વંદણ વય સિફખાગા-રવેસુ સન્નાકસાય-દંડેસુPII ગુત્તીસુ અસમિઈસુ અ, જો અઈઆરો ‘અ તં નિંદે રૂપા.
અર્થ:- બે પ્રકારનાં વંદન, બાર પ્રકારનાં વ્રત, બે પ્રકારની શિક્ષા (ગ્રહણ અને આસેવન રૂ૫), ત્રણ ગારવ, ચાર સંજ્ઞા, ચાર કષાય, ત્રણ દંડ, ત્રણ ગુણિ, પાંચ સમિતિ અને ચ શબ્દથી શ્રાવકની અગિયાર પડિમા તેને વિષે જે અતિચાર લાગ્યો હોય તેને હું નિંદું છું. ૩૫
સમ્મક્રિટ્ટિજીવો, જછવિ હુ પાવ સમાયરે-કિંચિ અપ્પો સિ હોઇ બંધો, જેણ ન
૧. ચૈત્યવંદન અને ગુરુવંદન. ૨. સ્કૂલપ્રાણાતિપાત વિરમણ આદિ શ્રાવકનાં બાર વ્રત. ૩. ગ્રહણ અને આસેવનરૂપ બે પ્રકારની શિક્ષા. તેમાં શ્રાવક સામાયિક આદિ સૂત્રાર્થ શીખે તે (૧) ગ્રહણશિક્ષા અર્થાત્ જઘન્યથી અષ્ટ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિકના છજીવણીયા અધ્યયન સુધી અર્થ સાથે શીખે. (૨) આસેવન શિક્ષા તે નવકારથી માંડી શ્રાવકના દિવસ સંબંધી સર્વ ધર્માનુષ્ઠાન સેવે-પાળે છે. અર્થાત્ ઉઠતી વખતે નવકાર ગણીને જાગે. પછી પોતાનું સ્વરૂપ વિચારે. ઈત્યાદિ શ્રાદ્ધદિનકૃત્ય આદિ ગ્રંથોમાં કહેલાં શ્રાવકનાં અનુષ્ઠાનો પાળે.
૪. રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ. ૫. ચાર દશ, અથવા સોળ સંજ્ઞા.
૬. કષ એટલે સંસાર, તેનો આય એટલે લાભ જેનાથી થાય તે કષાય ચાર છે, ક્રોધ, માન, માયા અને લોભ. ૭. જેના વડે ધર્મ-ધનથી આત્મા દંડાય તે દંડ ત્રણ છે, મન, વચન અને કાયા અથવા મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિયાણશલ્યરૂપ છે.
૮. તય ઇતિ પાઠાન્તરે. ૯. સમાયરઇ ઇતિ પાઠાન્તરમ્.