________________
૩૯૩ ખરાબ તરવાર તેને રાખનારનું છેદન-ભેદન કરે છે તેમ આ પાણી તેના વરસાવનાર કમઠને જ સંસારને વિષે છેદન-ભેદનરૂપ કાર્ય કરનારૂં થયું, મતલબ કે પ્રભુને ઉપસર્ગ કરવાથી તેનો સંસાર વધ્યો. ૩૨,
ધ્વસ્તોળું-કેશ-વિકૃતાકૃતિ-મર્ય-મુણ્ડ-, પ્રાલમ્બસૃભયદ-વફત્ર-વિનિર્મદગ્નિ ; પ્રેતવ્રજ: પ્રતિભવન્ત-મપીરિતો ય, સોડસ્યાભવભ્રતિભવં ભવ-દુઃખહેતુ. ૩૩.
અર્થ - હે પ્રભુ! નીચે વિખરાયેલા ઉપરના કેશ હોવાથી વિરૂપ થયેલી છે આકૃતિ જેની એવા મનુષ્યના માથાના ઝુમણા (લટકતા હારડા)ને ધારણ કરનાર, ભયંકર મુખ થકી નીકળતો છે અગ્નિ જેને એવો જે દૈત્યનો સમૂહ પણ તમારા પ્રત્યે (ઉપસર્ગ કરવા માટે) કમઠાસુરે મૂક્યો તે (દૈત્ય સમૂહ) એ (કમઠાસુર)ને ભવ-ભવને વિષે સંસારના દુઃખનું કારણ હોતો હવો. ૩૩.
ધન્યાસ્ત એવ ભવનાધિપ ! યે ત્રિસંધ્ય-, મારાધયન્તિ વિધિવદ્વિધુતા કૃત્યા, ભકત્યોલ્લસત્પલક-પર્મલ-દેહદેશા , પાદદ્વયં તવ વિભો! ભુવિ જન્મભાજ:. ૩૪.
અર્થ:- હે ત્રણ ભુવનના સ્વામિ ! હે પ્રભુ! વિશેષે ટાળ્યા છે અન્ય કાર્યો જેણે એવા અને ભક્તિવડે ઉલ્લાસ પામતા રોમાંચ વડે વ્યાપ્ત છે શરીર જેનાં એવા જે પ્રાણીઓ પૃથ્વીને વિષે તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણે કાળે પૂજે છે, તેઓ જ ધન્ય (પ્રશંસનીય) છે. ૩૪.