________________
૯૮ પુત્રોને બુદ્ધિ-અતિશય :
ભગવાન શ્રી રાષભદેવના અઠ્ઠાણું પુત્રએ શું કર્યું ? એ પ્રભુ પાસે તે ભરત પરના કૈધથી ધમધમતા આવ્યા હતા, પરંતુ પ્રભુએ શાંતિ–ઉપશમ કેળવનારી વાણી રેલાવી. એમાં પ્રભુએ જે (૧) ખરા શત્રુની ઓળખ, (૨) આન્તર શત્રુઓના જાલિમ ત્રાસ, (૩) સંપત્તિની નશ્વરતા સાથે જીવ પર સંહારલીલા, (૪) પરિવારની સ્વાર્થોધતા અને હકારિતા, (૫) મમતાની લોખંડી બેડીની અકાટ જકડામણ, વગેરે વગેરે સમજાવ્યા, એના પર અઠ્ઠાણું પુત્રે વિચારમાં પડી ગયા એના ઊંડા ચિંતને એમના દિલને એમના કલેજાને વીંધી નાખ્યું. એમની બુદ્ધિમાં એક સમર્થ અતિશય ઊભું થઈ ગયા. પછી તે કેમ? તે કે
આ અતિશયવાળી બુદ્ધિએ સ્વાત્માના વિશ્વ સાથેના અનંતકાળના વિચિત્ર સંબંધ નિહાળ્યા.
બેલે એમાં શું શું અવનવું ન દેખાય ? એ બધાની આગળ વર્તમાન જીવનપ્રસંગ કેવા કૂપમંડૂક જેવા જણાય ? કેવા વામણ દેખાય? અઠ્ઠાણુની સાતશય બુદ્ધિએ જગતને અને મળેલા તન-ધન-પરિવારને ન જ રંગ દેખાડ્યો; બુદ્ધના અતિશયે પૂર્વે જ્યાં પ્રકાશ–પ્રકાશ દેખાતો હતો, ત્યાં ઘોર અંધારા દેખાડ્યા, અને જે સાચા પ્રકાશનાં સ્થાન તદ્દન લક્ષ બહાર હતાં, તે હવે પ્રગટ કર્યા એને ઝળહળતા પ્રકાશવાળા દેખાડયાં. સાતિશય બુદ્ધિની કેવી બલિહારી ! એણે જગતના નાશવંત અને વિનાશકારી ભાવે પ્રત્યેની માનસિક ગુલામીની જંજીરે તેડી નાખનારું બળ જગાડ્યું.