Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 551
________________ ધ્યાન વિના અનુભવ સુધી નહિ પહોંચાય. * કેટલીક વખત માણસ વિનય કરે ખરો, પણ પોતાનો મતલબ સિદ્ધ કરવા. દા.ત. વિનય રત્ન. એવો વિનય અહીં અભિપ્રેત નથી. વિનય માત્ર વાતોમાં ન રહેતા. એનો નિગ્રહ થવો જોઈએ. વિનય-નિગ્રહ એટલે વિનય પરનો કાબૂ, જે કદી જાય નહિ. અમારા સમુદાયમાં પૂ. પં. મુક્તિવિજયજી હતા. એમણે અભિધાન નામમાલા અને પ્રાકૃત વ્યાકરણ એ બંને પર જબરદસ્ત કાબુ મેળવ્યો હતો. ૮૦ વર્ષની ઉંમરે પણ રોજ રાત્રે ૩ વાગે ગોખે. લાકડીઆની ડોસીઓ પૂછે ઃ હવે આપને શું ગોખવાનું હોય ? તેઓ કહેતા : મારે આ પરભવમાં સાથે લઈ જવું છે. આને નિગ્રહ કહેવાય. વિનયનો પણ આ રીતે નિગ્રહ કરવાનો છે, વિનયને આત્મસાત્ કરવાનો છે. * ક્ષમા * શૂરવીરની ક્ષમા સાચી ક્ષમા છે. કાયરની ક્ષમા મજબૂરી છે. ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો, જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા ? જો દંતહીન, વિષરહિત વિનીત સરલ હો; જહાં નહિ સામર્થ્ય શોધકી, ક્ષમા વહાઁ નિષ્ફલ હૈ, ગરલ ઘૂંટ પી જાને કા, મિષ હૈ વાણીકા છલ હૈ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૧

Loading...

Page Navigation
1 ... 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580