Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 562
________________ પાલીતાણા અષાઢ વદ-૨ ૧૮-૭-૨૦૦૦, મંગળવાર * જિનાગમ અમૃત છે. એનું પાન કરે તે અમર બની જાય. આ કાળમાં આત્મ-કલ્યાણ કરવું હોય તો આગમ અભ્યાસ કરવો જ રહ્યો. આગમના અભ્યાસથી વિષયનું વિષ નહિ ચડે. અમૃત પીનારને વિષનો ભય કેવો ? ચંડકોસિઆના વિષની ભગવાનને ક્યાં અસર થઈ હતી ? ભગવાન પ્રેમ-અમૃતના સાગર હતા. તમે જો પ્રેમ-અમૃતથી ભરેલા હો તો આ કાળમાં પણ ઝેરી પ્રાણીઓ તમને કાંઇ ન કરે, ન કરડે. તમારું મુખ જોઈને જ એના વેર-ઝેર શમી જાય. * પૂ. માનતુંગસૂરિજી મ. આગમપ્રેમી હતા. એમની પાસે ૨૦ વર્ષ પહેલા અહીં અમે પાઠ લીધેલો. મહારાષ્ટ્ર ભુવનથી રોજ સાંડેરાવ ભુવનમાં ભગવતી-પાઠ માટે જતા. આ વખતે તમને સારો યોગ મળ્યો છે. જ્યાં જાવ ત્યાં અમૃત જ અમૃત છે. ધરાઈ-ધરાઈને પીજો. આગમને તમે પીશો તો તે આગમ તમને એક દિવસે આત્માના અમૃતનો પ્યાલો પીવડાવશે. ચિદાનંદજી આદિની કૃતિઓ વાંચો તો આ વાત સમજાશે. સગરા હૈ સો ભર-ભર પીવે, નગરા જાવે પ્યાસા.” પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580