Book Title: Jain Satyaprakash 1939 10 SrNo 51
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સા૨ ૫ અક ભવ્ય છે પરોપકાર કરવામાં તરસ્યા રહે છે. એટલે હમેશાં પરોપકાર કરતા રહે છે. પુણ્યાનુબંધિ પુણ્ય શાથી બંધાયઆ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રકારે જે કારણે દર્શાવ્યાં તેમાં પોપકારને પણ ગણેલે છે. પરોપકાર ગુણને પ્રભાવ એવો છે કે તે જો નિરભિલાષ ભાવે કરવામાં આવે તે પૈર્યગુણને વધારે છે, દીનતાને દૂર કરીને, ચિત્તની ઉદારતામાં વધારે કરે છે, પેટ ભરવા રૂપ દુર્ગણને નાશ કરે છે, મનને નિર્મલ બનાવે છે, પ્રભુતાને પ્રકટ કરે છે, આત્મિક વીયૅલાસને વધારે છે. મોહને નાશ કરવામાં પણ સારામાં સારી મદદ કરે છે. પરોપકારી પુરૂષો આ ભવમાં ઉત્તમ સુખનાં સાધને પામે, એમાં નવાઈ શી? પણ તેઓ એ કરતાં પણ સારી સ્થિતિને ભવાંતરમાં પણ પામીને મુક્તિના સુખો અ૫ કાલમાં મેળવે છે. પરોપકારને અંગે જણાવેલી બીના યાદ રાખી જે ભવ્ય છે પરોપકારના પથે ઉલ્લાસથી પ્રયાણ કરશે, તે જરૂરી કાયાને સાર મેલવશે અને માનવ દેહને સફલ કરશે. એ પ્રમાણે દેહને સાર–પરોપકાર” આ પાંચમા (સાર)ની બીના ટૂંકામાં જણાવી. ભવ્ય છે ઉપર જણાવેલી (સાર પંચક)ની બીના યથાર્થ સમજીને અને હૃદયમાં ઉતારીને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિપુટી શુદ્ધ શ્રી જૈનધર્મની સાત્વિક આરાધના કરે. અને પરિણામે પરમાનંદમય મુક્તિસુખને પામે એ જ હાર્દિક ભાવના. સ્વીકાર ૧ સ્તfજંતામ િતથા કાતરાત્ર પ્રકાશ-કર્તા–આચાર્ય મહારાજ શ્રી વિજય પદ્યસૂરીજી–પ્રકાશક-શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા, પાંજરાપોળ, અમદાવાદ. મૂલ્ય—એક રૂપિઓ. ૨ શ્રી સિધચક્ર પૂજા–કર્તા તથા પ્રકાશક ઉપર પ્રમાણે. મૂલ્ય-દસ આના. ૩ શ્રી ભાવના કલ્પ લતા-કર્તા તથા પ્રકાશક ઉપર પ્રમાણે. મૂલ્ય-દોઢ રૂપિયા. * ૪ સંત પ્રાચીન રતન -સમ્પાદક-મુનિરાજશ્રી વિશાળવિજયજી. પ્રકાશક-શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજેન. મૂલ્ય-ત્રણ આના. ૫ કુબેરદત્તા-લેખક-શ્રીયુત ચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાંત), પ્રકાશક-શ્રી વિજયદાનસુરિ જૈન ગ્રંથમાળા, ગોપીપુરા, સુરત, મૂલ્ય-એક આને. - ૬ મારી સિધ્ધ યાત્રા-લેખક-મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, પ્રકાશક શ્રી વિજયધર્મ સજૈિન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજ્જૈન. મૂલ્ય-અઢી રૂપિયા. ( ૭ શ્રી નૂતન જિનસ્તવનમાલાદ–કર્તા-મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશકલાલભાઈ કુલચંદ ધિયા. મૂળેવા પાર્શ્વનાથની ખડકી, પાંજરાપોળ અમદાવાદ. ભેટ. કાળધર્મ ધાંગધ્રા મુકામે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરચંદ્રસૂરિજી ભાદરવા વદિ ચોથ. છે. ૨-૧૦-૩૯ ના દિવસે કાળધર્મ પામ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44