________________
નયવાદ
૧ ૧ ૧
આવી છે.) ઉત્પાદાદિ ત્રણેયનું સ્વરૂપ સમજાવતાં 15) “નય પ્રકાશસ્તવ' ગ્રંથમાં કહ્યું છે કે, “વસ્તુ પહેલાં જે પર્યાયરૂપમાં ન હોય તે પર્યાયરૂપમાં લાભ થવો, તેને “ઉત્પાદ' કહેવાય છે. જે પર્યાયરૂપમાં હોય તે પર્યાયની સત્તાનો વિરહ થવો, તેને “નાશ' કહે છે અને દ્રવ્યરૂપથી પ્રત્યેક પર્યાયમાં અનુવર્તન થવું તે “સ્થિતિ' કહેવાય છે. જેમ કે, માટીની અવસ્થામાં પૃથુબનોદરાદિ આકાર રૂપે ઘટ અસત્ હતો અર્થાત્ માટીની અવસ્થામાં તાદશ આકાર રૂપ પર્યાય નહોતો, તે (નૂત્તન) પર્યાયનો લાભ થવો, તેને “ઉત્પાદ' કહેવામાં આવે છે. તે અવસ્થામાં ઘટમાં ઉત્પત્તિમત્ત્વ આવે છે તાદશ આકારરૂપ પર્યાયનો વિરહ થવો તેને “નાશ' કહેવાય છે. તે અવસ્થામાં ઘટમાં નાશવત્વ આવે છે, અને તે બંને અવસ્થામાં દ્રવ્યરૂપમાં ઘટનું અનુવર્તન થવું ‘સ્થિતિ' કહેવાય છે, તેથી ઘટમાં સ્થિતિમત્ત્વ આવે છે. આ રીતે જગતના બધા પદાર્થ ઉત્પાદાદિ ત્રયાત્મક જ છે અર્થાત્ ઉત્પાદાદિ ત્રયાત્મક વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે. તદુપરાંત, દ્રવ્ય રૂપે બધી વસ્તુઓની સ્થિતિ જ હોય છે અને પર્યાય રૂપે બધી વસ્તુઓની ઉત્પત્તિ અને વિનાશ થાય છે.
દ્રવ્યનું અન્ય લક્ષણ કરતાં જણાવે છે કે, જે અર્થક્રિયાકારિ હોય, તેને “સ” કહેવાય છે. પ્રત્યેક વસ્તુની પોતાની એક વિશિષ્ટ ક્રિયા હોય છે કે જે ક્રિયાથી તે વસ્તુની ઓળખાણ થાય છે. તે વિશિષ્ટ ક્રિયાને “અર્થક્રિયા' કહેવાય છે, અને અર્થક્રિયાથી યુક્ત જે હોય, તેને સત્
15. તત્ર મત આત્મનામ: સત્પત્તિ, સત: સત્તાવિરહો નારા:, દ્રવ્યતાનુવર્તન સ્થિતિ: તત્ર घटस्य मृत्पिण्डाद्यवस्थायां पृथुबुध्नोदराद्याकारत्वेनासतस्तत्स्वरूपात्मलाभादुत्पत्तिमत्त्वम्, अथ तत्त्वेन सतस्तदभिन्नस्तदाकारविरहानाशवत्त्वम्, तथाऽनुवृत्ताकारनिबन्धनरुपद्रव्यतयाऽनुवर्तनात्स्थितिमत्त्वम्। एवं सकलार्थानामप्येतत्त्रयात्मकत्वमेव।