________________
નયવાદ
૨૩૧
विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदिति ।
અર્થ : ક્રિયાથી રહિત વસ્તુ શબ્દ દ્વારા વાચ્ય નથી, તે મુજબ કહેવાવાળો એવંભૂતાભાસ હોય છે, જેમ કે, વિશિષ્ટ ચેષ્ટાથી શૂન્ય ઘટ નામક વસ્તુ ઘટ શબ્દની વાચ્ય નથી, ઘટ શબ્દની પ્રવૃત્તિનિમિત્ત ક્રિયાથી શૂન્ય હોવાના કારણે, જેમ કે, પટ અર્થની જેમ.
ક્રિયાનો આશ્રય લઈને શબ્દ અર્થોનો વાચક થાય છે, જે પાક કરે છે, તેને પાચક કહે છે. લુહાર પાક નથી કરતો, તેથી પાચક શબ્દનો વાચ્ય અર્થ લુહાર નથી. આ વસ્તુનો અત્યંત આશ્રય લઈને જ્યારે કહેવામાં આવતું હોય કે, કોઈને પાચક ત્યારે જ કહેવો જોઈએ, જ્યારે તે પકાવી રહ્યો હોય, પરંતુ જ્યારે ક્યાંય જઈ રહ્યો હોય અથવા બેઠો હોય કે સૂતો હોય, ત્યારે તેના માટે પાચક શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. આવી રીતનો અભિપ્રાય એવંભૂતાભાસ છે. શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્ત હંમેશા ક્રિયા નથી હોતી. જાતિ આદિ શબ્દોનાં પ્રવૃત્તિ નિમિત્ત હોય છે. પાણી લાવવું આદિ ક્રિયાને કારણે ઘટને ઘટ શબ્દથી કહેવાય છે. પરંતુ ઘટ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત ઘટત્વ જાતિ છે. જ્યારે ઘટ એક સ્થાન પર સ્થિર હોય, તેના દ્વારા પાણી ન લવાતું હોય, તો પણ તેમાં ઘટત્વ જાતિ રહે છે. તેથી તેને ઘટ શબ્દથી કહી શકાય છે. જ્યાં ક્રિયાના કારણ શબ્દની પ્રવૃત્તિ હોય છે, ત્યાં પણ ક્રિયાનું હંમેશા થવું, આવશ્યક નથી હોતું. જે ઉચિત સમયે પાક કરે છે, તેને ચાલતા અને સૂતાં પણ પાચક કહી શકાય છે. પાચક હોવાને માટે ક્રિયાને એકાંતરૂપે કારણ માનવાવાળો અભિપ્રાય એવંભૂત નયાભાસ થઈ જાય છે. અર્થાદિ આભાસ ઃ
अर्थाभिधायी शब्दप्रतिक्षेपी अर्थनयाभासः । शब्दाभिधाय्यर्थप्रतिक्षेपी