Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 292
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી * જીવ ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણે, વાદવિવાદ કરી જાણે, પ્રમાણ-નય- નિપાદિથી વસ્તુની તર્કણા કરે, ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, પણ જો જ્ઞાનસ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહિ અને તદ્રુપ પરિણમે નહિ, તો તે શેયનિમગ્ન રહે છે, જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેધા કરે છે. બધું ભણી ગયો. ઘણાં યુક્તિ-ન્યાય જાણ્યાં, ઘણા વિચારો કર્યા. પણ જાણનારને જાણો નહિ, જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહિ, તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન તો જ્ઞાનસ્વરૂપ આત્માને જાણવો તે છે. પરછા (પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ–૩૮૧) * જ્ઞાયકસ્વભાવ આત્માનો નિર્ણય કરી, મતિશ્રુતજ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવો, બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબન વડે વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો, તે જ શિવપુરી પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની અનુભૂતિ તે જ શિવપુરીની સડક છે, તે જ મોક્ષનો માર્ગ છે. બીજા બધા તે માર્ગને વર્ણવવાના ભિન્ન ભિન્ન પ્રકારો છે. જેટલા વર્ણનના પ્રકારો છે, તેટલા માર્ગો નથી; માર્ગ તો એક જ છે. પરંતુ (પૂ. બહેનશ્રીનાં વચનામૃત, બોલ-૩૮૩) * જિનેન્દ્રભક્તિ તો શું, પણ ગમે તે કાર્ય કરતા, સાધકની દષ્ટિ જ્ઞાયકદેવ પર જ પડી હોય છે. દષ્ટિ જ્ઞાયકદેવમાં જામી તે જામી! ત્યાંથી પાછી ફરતી જ નથી! બહારનાં નેત્ર ભલે જિનેન્દ્ર પર એકાગ્ર હોય પણ અંતરના નેત્ર તો ત્યારે પણ નિજજ્ઞાયકદેવ પરથી ખસતાં નથી. જ્ઞાયકદેવનાં દર્શન થતાં અનંત ગુણોમાં અંશે શુદ્ધિની * ઇન્દ્રિયજ્ઞાનના ( શેયના) લશે ઇન્દ્રિય (શેય) પ્રગટે * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310