Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 296
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૫ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ને! આમ તો હોવું જોઈએ ને! અરે ભાઈ ! શું હોવું જોઈએ! છોડી દે બધી વાતો જાણવાની. હું તો ત્રિકાળી જ છું, ઉત્પાદ-વ્યય કંઈ મારામાં છે જ નહિ. IT ૫૪Oા. (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૮૮) * વિચાર મનનથી વસ્તુ પ્રાપ્ત થતી નથી (અનુભવ થતો નથી) કારણ કે તે બહિર્મુખી મનના સંગવાળી છે. વસ્તુ અંતર્મુખ ધ્રુવ છે. IT ૫૪૧ના (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ–૯૮) * શાસ્ત્ર બધાં વાંચી જાય પરંતુ અનુભવ વિના તેનો ભાવ ખ્યાલમાં આવે નહિ. બધી અપેક્ષા તો જાણી લે, પરંતુ તેમાં જ (જાણપણામાં જ) ફસાઈ જાય છે. જો ૫૪૨ // (શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૦૯) * જે નિર્વિકલ્પતા થાય છે તેમાં તો આખું જગત, દેહ, વિકલ્પ, ઉઘાડ વગેરે કાંઈ દેખાતું જ નથી. એક પોતે જ પોતે દેખાય છે. અંદરમાં જાય તો બહારનું કાંઈ દેખાય નહિ./ ૫૪૩ાા (શ્રી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૧૧૪) | * શાસ્ત્રથી જ્ઞાન નથી થતું એમ સાંભળે એને બરાબર છે” એમ કહે પરંતુ અંદરમાં (અભિપ્રાયમાં) તો પોતે બહારથી (શાસ્ત્ર આદિથી) જ્ઞાન આવે છે, તેમ માને છે. વાણીથી લાભ નથી તેમ કહે પરંતુ માન્યતામાં સાંભળવાથી પ્રત્યક્ષ લાભ થતો દેખાય છે, તો થોડું તો સાંભળી લઉં, તેમાં નુકસાન શું છે? (અજ્ઞાનમાં એવો ભ્રમ રહે છે) અરે ભાઈ ! તેમાં નુકસાન જ થાય છે, લાભ નહિ. ઉપરથી નુકસાન કર્યું અને અંદરમાં * હું જાણનાર અને લોકાલોક શેય એવું કોણે કહ્યું? * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310