Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 554
________________ ‘લીલાવતી જીવનકલા'ની તપાસ પણ એમાં છે. બીજા ગુચ્છમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ પંડધા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, મણિશંકર અને હાનાલાલ એમ સાત ચહિત્યકારોનો સમાવેશ છે. ત્રીજા ગુચ્છમાં કેળવણી, સાહિત્ય અને ઇતિહાસના વિવિધ વિષયો પર વિચારણા છે, સિદ્ધોને વ્યાપક ફલક પર મુકાયેલે લેખકનો રોહિત્ય અને ઈતિહાસ-કેળવણી વિષયક દૃષ્ટિસંપન અભિગમ, વિલક્ષણ ગદ્યની છાઓ સાથે આ વ્યાખ્યાનોમાં મોજૂદ છે. ચં.ટો. વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧): માય બેસીને વિવેચનસંગ્રહ લેખકે પોતાના વિવિધ પ્રકારના લેખોને નવ ખંડમાં વહેંચ્યા છે. પહેલા ખંડને ‘વિવેચનની પ્રક્રિયા' અને આઠમા ખંડના પ્રશ્નોત્તરી લેખ ‘વિવેચન-પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ’ લેખકની વિવેચન અંગેની સમજ દર્શાવતા, ઉપયોગી સિદ્ધાંતચર્ચાના લેખ છે. નવમ ખંડનો મેથ્યુ આર્નોલ્ડનો કાવ્યવિચાર' પણ સિદ્ધાંતચર્ચાને લેખ છે. બીજા ખંડના ત્રણ લેખોમાં આધુનિક વિવેચનની ગતિવિધિની વાત છે. ત્રીજા ખંડમાં ન્હાનાલાલની સર્જન-વિવેચનની પ્રવૃત્તિનો વિચાર કરતા ચાર લેખ છે. ચાધા ખંડમાંના ગુજરાતી કવિતા વિશેના છ લેખામાં આધુનિક કવિતા વિશેના લેખો વધુ છે. એમાં કેટલાકે તો આધુનિક કવિઓના કાવ્ય। સંગ્રહોની પ્રસ્તાવનાઓ છે. પાંચમા ખંડમાં ગુજરાતી અને બંગાળી કથાસાહિત્ય પરના છ લેખો છે. સાતમા ખંડના ત્રણ પ્રશ્નોત્તરી વખો આ સંગ્રહમાં ઓછા પ્રસ્તુત છે. ૪.ગા. વિવેચનનું વિવેચન (૧૯૭૬) : જયંત કોઠારીના વિવેચનલેખોનો સંગ્રહ. અહીં ગુજરાતી સાહિત્યવિવેચનનાં વળાંકો અને સીમાચિહ્ન તપાસવાનું વલણ છે. ઉપરાંત આ જ વલણને લક્ષમાં રાખી અહીં સાત જેટલા વિવેચનગ્રંથોની સમીક્ષા કરવામાં આવી છે. વળી, સ્થાપિત મંતવ્યોમાં ઊહાપોહ કરેલા હોય એવા લેખોનો પણ અહીં સમાવેશ છે. એક રીતે જોઈએ તો, આ ગ્રંથ વિવેચનના એક નમૂનો છે, જયાં વિવેચન પરનું વિવેચન લક્ષ્ય બન્યું છે. મુ.મા. વિશાલવિજ્યજી : પ્રવાસવર્ણના ‘ચાર જૈન તીર્થા’(૧૯૫૬), ‘ઘોઘાતીર્થ’(૧૯૫૮) તથા ‘શ્રી કુંભારિયાજી તીર્થ’(૧૯૬૧)ના કર્તા. ૨.ર.દ. વિશિષ્ટ સાહિત્યસંતાકોશ (૧૯૮૮) આધુનિક સાહિત્યસંશાકોશ પછીનો, વિશ્વસાહિત્યના આંતરસાંસ્કૃતિક અને તુલનાત્મક અભ્યાસની ભૂમિકાએ ઉપયોગી નીવડતો, ચંદ્રકાન્ત ટોપીવાળાએ સંપાદિત કરેલા સાહિત્યસંજ્ઞાકોશ. કોશમાં વર્ણાનુક્રમે યોજાયેલી મૂળ અંગ્રેજી સંજ્ઞાઓના ગુજરાતી પર્યાય આપીને તેની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે. આવશ્યકતાનુસાર જે તે સંજ્ઞાનું દૃષ્ટાંત પણ આપેલું છે. ‘વેન ઍન્ડ વુ’ જેવી ચીની નાટયપરંપરાની સાથે સંકળાયેલી માતા કોશની વ્યાપકતા સૂચવે છે, તો 'ધીક ટેંસ્ટ" તાનો પર્યાય આપવા ઉપરાંત 'ગેંગ ટેસ્ટ” જોવા Jain Education International વિવેચનની પ્રક્રિયા વિશ્વબંધુ માટે મુકાયેલા પ્રતિનિર્દેશ કોશની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા સુધરે છે. ... વિશ્વગીતા (૧૯૨૭) : ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ભાગવત’, ‘શાકુન્તલ’ વગેરે પ્રાચીન ગ્રંથોની ‘રસવેલેથી વીણેલી’ ‘વાર્તાકળીઓ'ને “પાણી છાંટી ખીલાવી પ્રશ્નછાવી...' એમાં ‘નવી સૌરભ ભરી તેના પ્રવેશો બનાવી, સ્થળકાળ અને કાર્યની એક્તાઓને કોર મૂકી, ‘ત્રિલોકની અણુસૃષ્ટિના અનુકરણ સમું’ કવિ ન્હાનાલાલે રચેલું વિલક્ષણ નાટક. એના ત્રણ અંક અને પંદર પ્રવેશેાનાં સ્થળ, કાળ અને પાત્રા એકમેકથી જુદાં છે. પોતપોતાની રીતે સ્વતંત્ર એવા પ્રવેશાને ‘અદૃશ્ય ભાવ-એકાગ્રતા’ની ‘રસસાંકળે’ જોડયા હોવાનું કવિ કહે છે. પહેલા અંકને ‘કાળજના પશ્નો’, બીજ એકને ‘પરાપૂર્વનાં મંથન’ અને ત્રીજા અંકને ‘ત્રિકાલ પર સનાતનતા’ એવાં શીર્ષકો આપી પોતાના ઇ ગિતનો ઈશારો કવિએ તેમાં કર્યા દેખાય છે. પહેલા અંકના પાંચ પ્રવેશામાં જગતમાંનાં પાપ, અન્યાય અને અંધકારને છતાં કરી, બીજા અંકમાં એને દૂર કરવાના થતા રહેલા પ્રયાસે ભણી લક્ષ ખેંચી, કવિ ત્રીજા અંકમાં પરમાત્માની જગલ્લીલા અને એમાં આત્માર્થીઓ અને પ્રભુના બંદાઓની સહાયક કામગીરીનુંરચન કરતા હોય, એવા અન્ય કાઢી શકાય. કૃતિ નાટક ને કલાની દૃષ્ટિએ ભલે સંતર્પક ન હોય, તોપણ એનાં વસ્તુ, વકતવ્ય અને કવિતાની દૃષ્ટિએ એક ધ્યાનપાત્ર રચના બની છે. કવિની કેટલીક સારી કાવ્યરચનાઓ એમાં સ્થાન પામી છે. રા. વિશ્વનિ (૧૯૬૫): પૃથ્વીને ગણત્રી કરનાર ભગવાન પરશુરામની પી ણિક કથાના સંદર્ભે નવીન અર્ધચ્છાયા પ્રગટાવતી પિનાકિન દવેની નવલકથા. અહીં પરશુરામ પોતાનાં માતાપિતાની હત્યાનો બદલો લેવા માટે જ ક્ષત્રિયો પ્રત્યે પ્રબળ વૈમનસ્ય ધરાવતા ક્રૂર બ્રાહ્મણ નથી; ક્ષત્રિયોના વિનાશ માટેનું એક બીકે પણ પ્રયોજન છે અને એ છે સુરા, સંપત્તિ અને સત્તાની લાલસામાં મતિભ્રષ્ટ નેલા ક્ષત્રિય ચાનોના લમમાંથી ત્રસ્ત પ્રજાને મુકિત પાવવાનું આ બીજું પાન પ્રસ્તુત કથાના કેન્દ્રસ્થાનો છે. આથી પુરાણમાંની મૂળ વાર્તાને અને પરશુરામના પત્રને નવું પરિમાણ મળે છે. અહીં પરશુરામની શૌર્યકથા આપે અન્ય પાત્રોની પ્રણયકથાઓનું પહેલું આકર્ષક નિરૂપણ સવૈવિધ્ય આપે છે. ઝડપથી બનતા જતા પ્રસંગોની સુચિતતા, માનવહૃદ્ધની વિવિધ ભાવસ્થિતિઓનું નિરૂપણ, વેધક ઉકિતઓ અને કાને અનુષ એવું સર્જનું તત્કાલીન વાતાવરણ નવલકથાને ધ્યાના બનાવે છે, નિવાર વિશ્વનંદ : પદ્યકૃતિ ઔધોગિનીકમારી'(૧૯૨૫)ના કર્યાં, 2.2.6. વિશ્વનાથ છગનલાલ : ચોપાઈ અને સવૈયાબદ્ધ પદ્યકૃતિ ‘વક્ષેત્ર તીર્થ માહાત્મ્ય’(૧૯૨૪)ના કર્તા. વિશ્વબંધુ જો, દેસાઈ દિનર થગાળ, For Personal & Private Use Only ૨.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૩ www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654