Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૪૧૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
અર્ધવિરામ નીચેને સ્થળે વપરાય છે
૧, જે સહગામી વાક્ય વચ્ચે સમુચ્ચયવાચક ઉભયાન્વયી “અને’ ન વપરાયું હોય એવાં વાક્ય વચ્ચે મધ્યવિરામ મુકાય છે. દાખલે:--
રસ્તા પર સેંકડે ઘડા અને ઊંટનાં શબ પડ્યાં હતાંલડાઈમાં ફેંકી દીધેલાં શસ્ત્રથી માર્ગ છવાઈ ગયે હતે હજારે દ્ધા મરણ પામ્યા હતા.
૨. વિધવાચક કે કાર્યકારણવાચક ઉભયાન્વયી અવ્યયની પછી મેટાં વાક્ય હોય તે સામાન્ય રીતે તે અવ્યયની પહેલાં અર્ધવિરામ મુકાય છે, પરંતુ એવાં વાકય નાનાં હોય તે અલ્પવિરામ મુકાય છે. નાનાં વાક્ય હોય તે પણ કેટલાક અર્ધવિરામ મૂકે છે. . દાખલા:--
તે કઈ મેટું કામ માથે લેતે નથી, કેમકે તેનામાં શક્તિ છે છતાં નથી એમ તે અવિશ્વાસથી ધારે છે. (“શિક્ષણ”).
“આ વખતે તે પાછો ખ, પણ તેણે પિતાનું ખરેખરૂં વિકાળ સ્વરૂપે પ્રકાશ્ય.” (“કરણ”)
જ્ઞાની પુરુષમાં એ ગુણે હોય એમ સર્વ કઈ ધારે એ વાજબી છે, પરંતુ ઘણી વાર તેનામાં એ ગુણોને અભાવ જોવામાં આવે છે એટલું જ નહિ, પણ જ્ઞાનને લીધે અનીતિના માગી શેધવામાં અને યુક્તિથી અનીતિભરેલું વર્તન પણ નીતિમય દર્શાવવાને પ્રયત્ન કરવામાં તેઓ મચેલા રહે છે. (“શિક્ષણ”)
મહાવિરામ નીચેને સ્થળે વપરાય છે—
અમુક બાબત પૂરેપૂરી વર્ણવી હોય અને તેની પછી બીજી બાબતને ગણતરી, દાખલા, પરિણામ, કારણ, કે વિરોધ તરીકે વર્ણવી હોય ત્યારે એ ચિહ્ન વપરાય છે.