Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ હકારમાંને અકાર કાઢી નાખતા હોઈએ એવા ઉચ્ચાર કેટલાક શબ્દમાં તે સ્પષ્ટ જણાય છેજેમકે,
માતૃ, તાહુ, દેરું, કેણ, સામું, પહલું–આ ઉચ્ચાર ત્રિસ્વરી શબ્દના વચલા એકારમાંના શાન્ત “અરેના નિયમને અનુસારે છે [શાન્ત અકારને નિયમ (આ) જુઓ.].
(૪) ઇકાર ને ઉકાર હસ્વ બેલાય છે કે દીર્ધ બેલાય છે તે વિષે નિર્ણય કરે બહુ સહેલું નથી. - ઉપર દર્શાવેલાં કારણને લીધે જોડણીના નિયમ કરવાની જરૂર પડે છે. ઉચ્ચાર સર્વત્ર સમાન તથા સ્પષ્ટ હોય તે ઉચ્ચાર પ્રમાણે જોડાણ કરવી એટલું જ કહેવું બસ થાય. બધા શબ્દની ખરી વ્યુત્પત્તિ દર્શાવી હોય એ સર્વમાન્ય કેશ પણ થયું નથી. આ કારણથી જોડણીના નિયમ કરવા પડે છે.
આ નિયમ નક્કી કરવામાં નીચેની બાબત પર લક્ષ આપવું અમને યુક્ત લાગે છે –
૧. ઉચ્ચારના તત્વને પ્રાધાન્ય આપવું.
૨. જ્યાં વ્યુત્પત્તિ ખુલ્લી હોય ને તે પ્રમાણે લખતાં કૃત્રિમ નિયમને ભંગ થતો હોય તે તે સ્થળે વિવક્ષા સ્વીકારવી.
૩. લખવાની સરળતા સચવાય તેવા નિયમ કરવા તરફ વૃત્તિ રાખવી. જે જોડણીથી ભાષાનું સ્વરૂપ જ બદલાઈ જાય તે શાસ્ત્રીય હેય તેપણ સર્વમાન્ય થવાનો સંભવ નથી.
આ બાબતે લક્ષમાં રાખી અમે જોડણીના નિયમે નક્કી કર્યા છે તે નીચે પ્રમાણે છે –
જોડણીના નિયમ ૧. તત્સમ સંસ્કૃત શબ્દ મૂળમાં (સંસ્કૃતમાં) લખાતા હોય તેમજ લખવા,