Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
:
પ
ઉદ્ભવેલી અને એ વિચાર ઉપસ્થિત કરવાનું માન હિન્દના હિતચિંતક સર વિલિયમ વેનને ટે છે.
કવિ ગણપતરામ રાજારામ જાતે રાયકવાળ બ્રાહ્મણ અને અમદાવાદથી છ ગાઉ આઘે આવેલા ઝાણું ગામના વતની હતા. એમને જન્મ સન ૧૮૪૮ માં થયા હતા, ગુજરાતી મહેતાજી વર્ગોમાંથી એક શિક્ષક તરીકે સારી કીર્તિ પ્રાપ્ત કરવાની સાથે એક સાહિત્યકાર તરીકે જેમની નામના થયલી છે, એમાં કિવ ગણપતરામના સમાવેશ થાય છે. એમના નિકટ પરિચયમાં આવવાનું અમને સદ્ભાગ્ય સાંપડયું હતું. એમની માઁળી ખેલી, ટેકીલે। પણ નિખાલસ સ્વભાવ, સતત વિદ્યા વ્યાસંગ, અને સાદી રહેણીવાળુ પણ નીતિવાળું સંસ્કારી જીવન અને આદરૂપ ચારિત્ર્ય એમના સમાગમમાં આવનાર સા કોઈ પર સજ્જડ છાપ પાડતું. નિયમિત કાર્ય - પતિ અને ઉદ્યમભરી પ્રવૃત્તિથી તેમે ન્હાનેથી મ્હાર્ટ પદે પહોંચ્યા હતા; અને પાંચ પૈસા ભેગા કરી, નાતજાતમાં અને સમાજમાં સારી પદવી અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં હતાં. એમને વિદ્યા અને આબરૂ બહુ વહાલાં હતાં; અને એમના ટેકીલા અને સ્વમાન ભર્યા સ્વભાવને “ પ્રતાપ ’ ચરિત્ર ખૂબ ગમતું અને એમનું એ નામવાળું નાટક આટલું સફળ અને યશસ્વી નિવડ્યું છે તેની કુંચી એમના એવા ટેકીલા જીવનમાંથી પ્રાપ્ત થશે. સ્વદેશાભિમાનની લાગણી પૂરી જામેલી નહિ ત્યારે એ ભાવનાને પાષવામાં ‘ પ્રતાપ' નાટકે જલસિંચન કરેલું. ગુજરાતી નાટક સાહિત્યમાં 6 પ્રતાપ’ નાટકનું સ્થાન એક સ્વતંત્ર કૃતિ તરીકે ઉંચું અને ગારવવાળું છે.
તુ
આપણા પ્રાચીન સાહિત્યથી એમના વિચાર અને સંસ્કાર પોષાયલા અને વિકાસ પામેલા. સુંદર પદ્યની પેઠે તે સરસ ગદ્ય પણ લખતા, તેના નમુના એમને “ મનેા વિકાર ” એ નામના નિબંધ પૂરા પાડે છે. આકી તા એમની લગભગ સઘળી કૃતિએ પદ્યમાં લખાઈ હતી અને તે આપણી જુની કરિતાની પદ્ધતિએ. ‘ બાલલગ્નથી થતી હાનિ' એ વિષયને એમણે કવિતામાં ચર્ચો હતા. એમનું તે પુસ્તક વખણાયું હતું. નવા સુધારા પરત્વે ખેલતાં તેઓ મેધ આપે છે,
“ જે જે સુધારા કે કુધારા, પ્રજાના વ્યવહારમાં;
પ્રસર્યાં છે તેહ પ્રાથિ અનિયા છે સકળ સંસારમાં; શાસ્રાથિ રૂઢિ છે ચઢી, દેખાય આ દુનિયા મહીં; માટે સુધારા સઘ, પેાતાને કરી પોતે સહી. ’
* બાઘલગ્નથી થતી હાનિ, પૃ. ૧૩૨.