Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 179
________________ ૧૫૪ ધર્મનાં દશ લક્ષણ) જો કર્ણ-ઈન્દ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય કહીએ તો પછી ચાર-ઈદ્રિય જીવોને બ્રહ્મચારી માનવા પડે, કેમકે એમને તો કાન છે જ નહીં, પછી કર્ણના વિષયનું સેવન કેમ સંભવે ? એ જ પ્રમાણે ચક્ષુ-ઈન્દ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં ત્રણ–ઈદ્રિય જીવોને, ઘાણના વિષય–સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં દ્વિ-ઈદ્રિય જીવોને, રસનાના વિષય–સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં એકેન્દ્રિય જીવોને બ્રહ્મચારી માનવાનો પ્રસંગ આવી પડે છે; કેમકે એમને ઉકત ઈદ્રિયોના અભાવ હોવાથી એમના વિષયોનું સેવન સંભવિત નથી. આ જ ક્રમથી જો કહેવામાં આવે કે આ પ્રમાણે તો સ્પર્શ-ઈદ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય માનીએ તો સ્પર્શેન્દ્રિય રહિત જીવોને બ્રહ્મચારી માનવા પડશે, – તો એમાં આપણને કાંઈ હરકત નથી, કેમકે સ્પર્શન-ઈદ્રિયથી રહિત સિદ્ધ ભગવાન જ છે અને તેઓ સંપૂર્ણ બ્રહ્મચારી છે જ. સંસારી જીવોમાં તો કોઈ આવો છે જ નહીં, જે સ્પર્શન-ઈન્દ્રિયથી રહિત હોય. આ પ્રમાણે સ્પર્શન-ઈદ્રિયોના વિષય-ત્યાગને બ્રહ્મચર્ય કહેવામાં કોઈ દોષ આવતો નથી. - એ જ પ્રમાણે માત્ર ક્રિયાવિશેષ (મૈથુન) ના અભાવને જ બ્રહ્મચર્ય માનીએ તો પછી પૃથ્વી, જલકાય આદિ જીવોને પણ બ્રહ્મચારી માનવા પડશે, કેમકે એમને મૈથુનક્રિયા જોવામાં આવતી નથી. - જો આ, કહો કે એકેન્દ્રિયાદિ જીવોને બ્રહ્મચારી માનવામાં શું હરકત છે? તો – ' ' એજ કે એમને આત્મરમણતારૂપ નિશ્ચય બ્રહ્મચર્ય નથી, આત્મરણતારૂપ બ્રહ્મચર્ય સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે; તથા એકેન્દ્રિયાદિ જીવોને મોક્ષ પણ માનવો પડે, કેમકે બ્રહ્મચર્યધર્મને સંપૂર્ણ ધારણ કરવાવાળા મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે જ છે. કહ્યું પણ છે :ધાનત ધર્મ દશ પંડ ચઢિકે, શિવમહલમેં પગ ધરા,” ઘાનતરાયજી કહે છે કે ધર્મરૂપી સીડી પર ચઢીને શિવમહેલમાં પહોંચે છે. દશધર્મરૂપી સીડીમાં દશમું પગથિયું છે બ્રહ્મચર્ય, એના પછી તો મોક્ષ જ છે.

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218