Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૪ ધર્મનાં દશલક્ષણ) ક્ષમાદિન, બીજે વર્ષ માર્દવદિન, ત્રીજે વર્ષ આર્જવદિન ઈત્યાદિ રૂપે કેમ નહી? કેમકે દશેય ધર્મ તો એકસમાન છે. ક્ષમાને જ આટલું અધિક મહત્વ કેમ આપવામા આવે છે? ભાઈઆ પ્રશ્ન તો ત્યારે સંભવિત છે કે જો ક્ષમાવાણીનો અર્થ માત્ર ક્ષમાવાણી હોય. ક્ષમાવાણીનો વાસ્તવિક અર્થ તો ક્ષમાદિવાણી છે. ક્ષમા આદિ દશેય ધર્મોની આરાધનાથી આત્મામાં ઉત્પન્ન નિર્વેરતા, કોમળતા, સરળતા, નિર્લોભતા, સત્યતા, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મલીનતા વડે ઊપજેલા સમગ્ર પવિત્ર ભાવનું વાણીમાં પ્રગટ થવું એ જ વાસ્તવિક ક્ષમાવાણી છે. જયાં લગી ભૂમિકાનુસાર દશેય ધર્મો આપણી પરિણતિમાં ન પ્રગટે ત્યાં લગી ક્ષમાવાણીનો વાસ્તવિક લાભ માપણને પ્રાપ્ત નહીં થાય. હવે રહે છે માત્ર એ વાત કે એનું નામ એકલી ક્ષમા પર જ કેમ રાખવામાં આવ્યું છે. તો આનું સમાધાન એમ છે કે – શું બહુ મોટું નામ રાખવાનો પ્રયોગ સફળ બને ખરો? શું એવડુ મોટુ નામ સૌની જીભ પર સહજ જ ચડી શકે ખરું? નહીં, બિલકુલ નહીં. તેથી જેમ અનેક ભાઈઓ કે ભાગીદારોનો એકસરખો હિસ્સો હોવા છતાં પણ પેઢી કે કંપનીનું નામ પહેલા ભાઈના નામ પર રાખવામાં આવે છે, એક ભાઈનું નામ રહેવા છતાં પણ સૌની માલિકીમાં કોઈ ફરક પડતો નથી; તે જ પ્રમાણે ક્ષમાનું નામ રહેવા છતાં ક્ષમાવાણીમાં દશેય ધર્મો સમાઈ જાય છે. અહીં એક પ્રશ્ન આ પણ સંભવિત છે કે જેના નામની દુકાન હોય, સામાન્ય લોકો તો દુકાન એની જ છે એમ જ સમજશે. આ વાત ઠીક છે, ધૂળબુદ્ધિવાળા લોકોને એવો ભ્રમ પ્રાયઃ થઈ જાય છે; પરંતુ સમજદાર લોકો બધુ યથાર્થ જ સમજે છે. આ જ કારણે તો સ્થૂળ બુદ્ધિવાળા લોકો ક્ષમાવાણી ને માત્ર ક્ષમાવાણી જ સમજીલે છે, ક્ષમાદિ વાણી

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218