Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 109
________________ ૧૦૨ / ધન્ય આ ધરતી તથા આરોગ્ય સેવાઓમાં પડતી, ગુનાખોરી, હિંસા વગેરે બેફામ અને બેલગામ વધતાં જાય છે. આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ તો છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન દુનિયાના દેશો વચ્ચે આવક અને સંપત્તિની અસમાનતા ઘટવાને બદલે અનેકગણી વધી છે. દુનિયાની ૧૦% વસ્તી બાકીના ૯૦%ને ભોગે ધનિક બની છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધનો ઉપરના દુનિયાના કુલ ખર્ચના ૯૯% ખર્ચ માત્ર ટોચના દસ યંત્રોદ્યોગના દેશોમાં થાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારી અને નાણાકીય અંકુશ એમના હાથમાં હોવાથી એમના તરફથી ઘડાતા વિદેશ વેપારના નિયમોની અને એમના તરફથી દુનિયાના બીજા દોઢસો દેશોને અપાતી નાણાકીય મદદની રૂએ આખા વિશ્વસમાજને ચાલવું પડે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ આ રોકી શકે એમ નથી. ધનિક દેશોએ રાષ્ટ્રસંઘની બહાર સ્થાપેલી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, ગાટ અને વિશ્વબેક ઘણી વધારે શક્તિશાળી છે. ઉપરાંત, બીજી બાજુ ઉલ્લેખનીય મુદ્દો તો એ છે કે આજે બધા દેશોમાં પ્રજાના પ્રશ્નો હલ કરવા દેશની સરકાર પોતે જ સમર્થ નથી, ઉપયોગી નથી. 'તો પછી એ પ્રશ્નો હલ કરવા બધા દેશોની સરકારોમાંથી બનેલું સંયુક્ત રાષ્ટ્રસંઘ કેવી રીતે ઉપયોગી નીવડી શકે ? આ સંદર્ભમાં વ્યાજનક હકીક્ત એ છે કે યંત્રોદ્યોગના દેશોની પ્રજાઓની સ્થિતિ ગુલામ જેવી છે, કારણ કે એ દેશોમાં બધા ઉદ્યોગો જંગી પાયા પર ઊભા કરાયેલા છે, તેથી એમને ઉત્પાદ્ધ કરવા પરદેશોમાંથી કાચામાલ પર તેમ જ ઉત્પાદન વેચવા પરદેશોનાં બજારો પર નભવું પડે છે અને પરિણામે એમને એમની સરકારો ઉપર આધારિત રહેવું પડે છે, સરકારની નીતિઓને આધીન રહેવું પડે છે. મોટા ભાગની પ્રજા આવી જંગી ઔદ્યોગિક કંપનીઓ અથવા એમની સાથે સંકળાયેલી સંસ્થાઓમાં કામ કરતી હોઈ લોકોની નોકરી તથા આજીવિકા ઉપર સરકારી નીતિઓની ઘણી અસર પડે. ઉદ્યોગો અને સેવાઓની જંગી કંપનીઓમાં નોકરી હોવાને કારણે દરેક જણને ઉપરી, 'બોસ', હોવાથી લોકોને પોતાનો રોટલો બીજાની યા પર રળવો પડે. અમેરિકાની એક કૉલેજમાં મેં એક વર્ષ ભણાવ્યું હતું ત્યારે તેના આચાર્યો બોલાવેલી એક મિટિંગમાં, મારા વર્ગમાં પરીક્ષા હોવાથી, હું જઈ ન શકી તેથી તેમણે મને બોલાવીને ધમકાવેલી, એમ જ્હીને કે તમે મારી આજ્ઞા ઉથાપી ન શકે, કારણ કે હું તમને ખોરાક આપું છું, હું તમને ક્યાં આપું છું.” અમેરિકાના વિચારકો આજે પણ આ ભય સામે પોતાના દેશવાસીઓને ચેતવણી આપે છે કે આપણે ત્યાંની મોટી કોર્પોરેશનો આપણને ભૂખે મારી શકે, ટાઢમાં થથરાવી શકે, આપણે સ્વાયત્ત બનવું જોઈએ. પરંતુ ત્યાં હસ્તઉદ્યોગો જ નથી. એમને વિશે જાણકારી સુદ્ધાં નથી. કશું જાતે બનાવતાં આવડતું નથી. ગ્રામીણ સંસ્કૃતિથી તેઓ બહુ દૂર ચાલી ગયા છે. આમ સ્વતંત્રતા અને લોકશાહીનાં બણગાં ફૂંકનાર અને આખી દુનિયામાં એનો ઉપદેશ આપતા ફરનાર દેશમાં પણ સાચી સ્વતંત્રતા નથી. કારણ કે મોટા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162