Book Title: Dhanya aa Aarti
Author(s): Nandini Joshi
Publisher: Unnati Prakashan

View full book text
Previous | Next

Page 143
________________ ૧૩૬ / ધન્ય આ ધરતી જટિલ યંત્રોદ્યોગ પર આધાર રાખતા જાય છે, તેમ તેમ એક જ માણસ પર બધું આધારિત થઈ જાય છે. માત્ર એક જ માણસ ભૂલ કરે કે માત્ર એક જ ભાગ તૂટી પડે તો સમાજના મોટા ભાગનું કામકાજ ખોરવાઈ પડે. આનો એક અંતિમ દાખલો છે ત્રાસવાદ અથવા ચાંચિયાગિરી.. તેથી યુવાનોને નાની ઉમંરથી એ શિક્ષણ આપવું જરૂરી છે કે અત્યારના જે વિચારો અને ખ્યાલો એમના પર લાદવામાં આવે છે તેમને વિશે તેઓ પ્રશ્ન ઉઠાવે. તેમને સ્વતંત્ર રીતે વિચાર કરવાનું અને જાતે જ નિર્ણયો તારવવાનું શીખવવું જોઈએ, પ્રો. કાર્લ, જે પોતે જ નિષ્ણાત વૈજ્ઞાનિક છે, હે છે કે જો કે શુદ્ધ વિજ્ઞાનનું શિક્ષણ જરૂરી છે, પરંતુ જે શિક્ષણ સજ્જ વિચારશક્તિ અને નૈતિક સંવેદનશીલતા વગર મળે છે તે અત્યારના સામાજિક રોગોનું મુખ્ય કારણ બને છે. દસકાઓ પહેલાં જ્યારે પ્રો. કાર્લ પોતે વિદ્યાર્થી હતા ત્યારે ન્યૂયોર્કમાં શિક્ષણતંત્ર વિદ્યાર્થીઓને વિશાળ અર્થમાં શિક્ષણ પૂરું પાડતું, અનેક બૌદ્ધિક ક્ષેત્રોમાં જાણકારી તેમ જ ઊંચી દષ્ટિ અને સમજણ સાથે દુનિયામાં પ્રવેશવાની તૈયારી પૂરી પાડતું. સ્નાતકોને તેમના વિકલ્પો વિશે સ્પષ્ટ સમજ હતી, તેમને પોતાની શક્તિઓ વિશે વિશ્વાસ હતો અને તેઓ મોટે ભાગે સારા નાગરિકો હતા. જેઓ કોલેજમાં ન જતા તેમને પણ શિક્ષણતંત્ર માધ્યમિક શાળામાં ધંધો-રોજગારની તાલીમ પૂરી પાડતું. પ્રો. કાર્યને એ વખતનું, પહેલાનું, શિક્ષણતંત્ર અત્યારના શિક્ષણતંત્ર કરતાં વધારે સફળ લાગે છે. આજના સમાજમાં ચારિત્ર્ય અને નૈતિકતાનું જે સ્તર છે તે ચિંતાનો વિષય છે. બધા સ્તરો પર જે સમાજવિરોધી વર્તન છે તે બીજા બધા પ્રયત્નોને ઊંધા વાળી શકે એમ છે. જીવનધોરણ ઊંચું લાવવાના, આર્થિક અને પર્યાવરણના પ્રશ્નો ઉકલવાના અને સાંસ્કૃતિક સભ્ય સમાજ રચવાના બધા પ્રયત્નોને તે હરાવી શકે એમ છે. દુનિયાના ઘણા પ્રદેશો આજે દુ:ખદ સ્થિતિમાં છે. આપણા અસ્તિત્વના ભવિષ્ય સામેના ખતરાનો વિચાર કરીએ તો આપણી અત્યારની ઘણી સામાજિક અગ્રીમતાઓ અને માન્યતાઓને ટકાવવા માટે વળગી રહેવું એ આત્મઘાતક છે. જ આજે આપણે જે વર્તણૂક ચલાવી લઈન શકાય એને સુધારવાનો કે અટકાવવાનો પ્રયત્ન કરવા કાયદાઓ કરીએ છીએ. એના કરતાં એ ઘણું વધારે સારું છે કે લોકોની નીતિમત્તા, માનવીય મૂલ્યો અને સ્વમાનને કારણે કાયદાઓ જરૂરી જ ન બને. આપણે આજે એવી દુનિયામાં જીવીએ છીએ જેમાં સમાજની અંદર તેમ જ સમાજોની વચ્ચે મોટી અસમાનતાઓ છે, આ દુનિયા એવી પણ છે જેનું ભવિષ્ય ઘણું જ ભયમાં છે. પ્રો. કાર્લ પ્રશ્ન ઉઠાવે છે કે શું આપણે એમ ઈચ્છીશું કે કુદરત પોતાનો રસ્તો લે, એ રસ્તો કે જે મોટે ભાગે ઝૂર હોય છે કે પછી શું દુનિયાની પ્રજાઓ અને નેતાઓ મોટાં હિંમતભર્યા પગલાં લેવા તૈયાર થશે અને લઈ શકશે કે જે પગલાં કુદરતની ક્રૂરતાને હળવી કરવા, પૃથ્વીને બચાવી લેવા અને વધુ સમાનતાવાળું તેમ જ માનવીય ભવિષ્ય સર્જવા માટે જરૂરી છે? છે. Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162