Book Title: Chitrasen Padmavati Charitra
Author(s): Rajvallabh
Publisher: Rajendrasuri Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 114
________________ ૧૦૩ ભોગવવાનું છે. હું કેઈપણ રીતે તારાથી છુટો રહી શકું તેમ નથી.” આ પ્રમાણે તેને નિશ્ચય જાણી મિત્રાનંદને બહુજ આનંદ થયે, અને પરસ્પર તેઓ વિશેષ એકચિત્તવાળા થયા. ત્યાર પછી તેઓ કરેલા સંકેત પ્રમાણે એક રાત્રીએ ઘેરથી નીકળી અનુક્રમે ફરતા ફરતા પાટલીપુર નગરમાં આવ્યા. તે નગરની બહાર નંદનવન જેવા મનહર ઉધાનમાં ઉંચા ગઢથી વીટાયેલે અને ધ્વજા પતાકાથી શોભતે એક સુંદર મહેલ તેઓએ જે. પાસેની વાવમાં હાથ, પગ ધંઈ મુખ પ્રક્ષાલન કરી શ્રમ ઉતારી પ્રાસાદની સુંદરતા જેવા તેઓ તેની અંદર ગયા. ત્યાં અમરદ એક સુંદર પુતળી જોઈ તે રૂપ અને લાવણ્યથી સાક્ષાત્ દેવાંગના જેવીજ લાગતી હતી. તેને દેખીને અમરરત્ત જાણે કે ચિત્રમાં આલેખાઈ ગયું હોય તેમ સ્થિર થઈ ગયું અને અનિમેષ દષ્ટિથી તેની સામે જોવા લાગ્યો અને સુધા, તૃષા કે શ્રમ બધું ભૂલી ગયે. ઘણે વખત પસાર થઈ ગયે, અને મધ્યાહ્ન થવા આવ્યું, ત્યારે મિત્રાનંદે કહ્યું કે –“બંધુ! ચાલે, આપણે હવે નગરમાં જઈએ, બહુ મોડું થાય છે, નગરમાં જઈ સુધા વિગેરેની બાધા મટા ડીએ.” તે સાંભળી અમરદત્ત બોલ્યો કે:હે મિત્ર! થોડી ક્ષણે સુધી તું રહે છે, તેટલા વખતમાં હું આ પુતળીને બરોબર નીરખીને જોઈ લઉં.” આ પ્રમાણે તેના કહેવાથી થડા સમય સુધી રાહ જોઈ. ફરીથી મિત્રાનંદે નગરમાં

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164