Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 220
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०११ હતા અને અત્યાર સુધિમાં તેઓએ લગભગ ૧૫૦ ગ્રંથ લખ્યા છે. જેમાંના કેટલાક ગ્રંથે તે એક હજાર પૃષ્ઠ કરતાં વધુ પૃષ્ઠોના છે. તેમનું અધ્યાત્મિક જીવન શ્રીમદ્ આનંદઘનજી મહારાજ, શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ, શ્રીમદ મણિચંદ્રજી મહારાજ વિગેરે આત્મગગનમાં વિહાર કરતા પવિત્રાત્માઓની જ યાદ આપે છે. તેઓ મોટે ભાગે એકાંત સેવતાં. સ્ત્રીઓથી ગૃહસ્થ અવસ્થામાં પણું દૂર રહ્યા હતા અને સાધુ અવસ્થામાં પણું તેમના દર્શને આવતી સ્ત્રીઓને વ્યાખ્યાન પ્રસંગેજ દર્શનને જેગ મળે, તેટલાજ સંબંધ તેઓએ સ્ત્રીઓ સાથે રાખ્યું હતું. એટલે કે તેઓ સ્ત્રીઓ સાથે વાતચિત કે કાગળ પત્ર વ્યવહાર કદી પણ રાખતા નહતા. જ્યારે પણ તેમને વખત મળતે ત્યારે તેઓ આપણા તિર્થોના પહાડની ગુફાઓમાં અને બીજા ગામમાં એકાંત જગ્યાઓમાં પ્રભુ ચિંત્વન કરવા ચાલ્યા જતા હતા અને ઘણીક વખત તે ઘણુઓને તેમને શોધી કાઢવામાં મુશ્કેલી નડતી. આવા એક ઉત્કૃષ્ટ જીવાત્માના અવસાનથી આ કાળના જેનેને મોટી ખોટ પડી છે, જે કદિ પણ પૂરાય એમ નથી. તેમના જેવા જેન ધનુરાગી પ્રભુ સેવકેની બહુ જરૂર આ કાળમાં છે એમ મને પળે પળે લાગે છે. તેઓ જૈન સાહિત્યના સૂર્ય રૂપ હતા, ચાગના મહાન ઉપાસક હતા, અને સંસાર તરફ વિરાગ દશા ધરાવનાર એક ઉત્કૃષ્ટ આત્મા હતા. એવા એક ઉત્કૃષ્ટ જીવના જીવન સાથે અનેક ચમત્કારિક આખ્યાયિકાઓ જોડાયેલી છે, જેમાંની કેટલીક મેં સાંભળી છે તે હું નીચે આપું છું-- એક અંધ અન્યદર્શનીને દેખતે કયે. શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું બ્રહ્મચર્ય ઘણું જ ઉત્કૃષ્ટ હતું અને તેના પ્રભાવે તેઓને પ્રભાવ જેમ જનો તેમ અન્ય દર્શનીએ ' ઉપર પણ પડતું. આ કારણથી કેટલાક વૈષ્ણ, શીવમાગીએ સ્વામીનારાયણ ધમનુયાયીઓ અને મુસલમાને પણ તેમના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241