Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 67
________________ આપ્તવાણી-૧૧ ૧૦૫ એવું છે, કે વ્યવસ્થિતની બહાર વ્યવહારમાં કશું થતું જ નથી. અને વ્યવહાર જેટલો ફેરવવા જાય છે ને તેટલો મહીં ભરેલો અહંકાર છે. એટલે એટલે આપણે સમજી લેવાનું કે આ વ્યવસ્થિત છે તેનું આપણે અવ્યવસ્થિત કરીને શું કામ છે ? તેમ છતાં બોલાઈ જવાયું. તે પહેલાંનો ભરેલો માલ છે. કારણ કે આપણે આ અક્રમ છે ને, તે કર્મો ખપાવ્યા વગર આવ્યા છીએ એટલે ભરેલો માલ નીકળે. પ્રશ્નકર્તા : પણ કોઈ વખત જાણી જોઈને કહેવું પડે એટલા માટે ૧૦૬ આપ્તવાણી-૧૧ અવળું ચાલ્યું એટલે આપણું ય અવળું ચાલ્યું. અહીં પૂના જવાનું હોય તેને બદલે ચંદુભાઈ અમદાવાદની ગાડીમાં બેઠાં, તો પછી આપણને ય અમદાવાદ જવું પડેને ? માટે ચંદુભાઈ સવળાં ચાલે એવો રસ્તો આપણે કર કર કર્યા કરવાનો, તે ચંદુભાઈ ય છૂટે અને આપણે ય છૂટીએ. પ્રશ્નકર્તા : આપણે સમજીએ છીએ કે આ અહંકાર છે, છતાં એ ચઢી બેસે છે. કહું છું. દાદાશ્રી : ચઢી બેસે છે તેનો વાંધો નથી. ચઢી બેસે છે તે તો હકીકત બની. એમાં આપણું કંઈ ચાલે નહીં. પણ સાંજે ઠપકો આપીએ ને ? આપણે નોંધ રાખીએ કે ‘અમુક ટાઇમે આમ કર્યું હતું, અમુક ટાઇમ આ કર્યું હતું, આ ભઇ જોડે અમથી વગર કામની માથાફોડ કરી હતી.” એ બધાનો ચંદુભાઈને ઠપકો આપીએ એટલે આપણે છૂટી ગયાં. પછી આપણે જવાબદાર ના રહ્યાં, અને એટલે ચંદુભાઈની જવાબદારી છૂટી જાય છે. કારણ કે આપણી જવાબદારી છૂટી ગઇ કે ચંદુભાઈની જવાબદારી પણ છૂટી ગઈ અને કોઈને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કરવું પડે તો કહીએ કે, “ચંદુભાઈ અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.” વ્યવહારમાં જાગતા ઊંઘો ! દાદાશ્રી : ના, કહેવા માટે તો આ જગતમાં કંઈ છે જ નહીં. એ પૂછે તો કહેવા જેવું. એ પૂછે કે આ શું કરવાનું છે ? ત્યારે આપણે કહેવાનું. બાકી, મનમાં તો ઇચ્છા કેવી રાખવી કે આ ના પૂછે તો સારું. પેલું તો વગર પૂછયે જ માલ આપ આપ કરીએ. ઘરાક ના કહે ને આપણે માલ આપ આપ કરીએ તો ઘરાકને અકળામણ ના થાય ? તે ઘરાક પછી માથામાં જ મારે આપણને. પણ એ પૂછે તો જવાબ દેવો પડે. અમને કોઇક પૂછવા આવે તો અમે જાણીએ કે આ વળી ક્યાં ઉપાધિ આવી ? ધર્મની બાબત પૂછવા આવે તો ઠીક છે. પણ વ્યવહારની બાબત પૂછવા આવે તો તો ઉપાધિ સ્વરૂપ લાગે. પણ અમે વ્યવહારમાં કશું બોલીએ નહીં ! મીઠું વધારે હોય તો ય અમે બોલીએ શું કરવા તે ? બોલીએ તો ઉપાધિ થાય ને ? વ્યવહાર તો વ્યવસ્થિત જે પ્રમાણે ચલાવે છે એ શુદ્ધ વ્યવહાર છે અને તેમાં “આપણે” ડખો કરીએ એ અશુદ્ધ થયું, ડખો કરવો નહીં, ને ડખો થઇ જાય તો કર્મો ખપાવ્યા વગરનાં છે એટલે થઇ જાય છે. તો સાંજે આપણે પા કલાક બેસી અને ચંદુભાઈને ઠપકો આપવાનો. આપણે કહેવાનું કે જો તમે વગર કામનાં તે વખતે બાબા જોડે માથાઝીક કરી હતી. આ વહુ જોડે માથાઝીક કરી. આ ખોટું કર્યું, આમ ના કરવું જોઈએ, આવું કરાતું હશે ? તે ઠપકો આપીએ. ને મહિના સુધી ઠપકો આપીએ તો ચંદુભાઈનું બંધ થઈ જાય. ચંદુભાઈ પણ સમજુ છે, પણ ઠપકો આપનાર જોઈએ, કોઈ વઢનાર તો જોઈને ! એટલે આપણે ઠપકો આપવાનો. નહીં તો અવળું માનીને એ અવળું ચાલ્યા કરે, અને ચંદુભાઈનું જગતવ્યવહાર ચલાવવા માટે આપણે કશું કરવાનું હોતું જ નથી. વ્યવહાર વ્યવસ્થિત ચલાવી જ લે છે, ‘એક્કેક્ટ' ચલાવી જ લે છે. આપણે ઊંઘી જઈએ તો ય મહીં ખાવાનું પચે છે, તો પછી જગતમાં નહીં ચાલે ? એટલે આપણે શું કહ્યું કે થોડું ઘણું જાગતા ઊંઘવું પડે. જાગતા ઊંઘવું એટલે શું કે આપણે જાગતા હોઈએ અને પ્યાલો ફૂટે તો તે આપણે ઊંઘતા હોયને પ્યાલો ફૂટે એવી અસર થવી જોઈએ. અસરમાં ફેર ના પડવો જોઈએ. આપણે ઊંઘતા હોય ને પ્યાલો ફૂટે ત્યારે કેવા ડાહ્યા રહીએ છીએ ? અને જાગતા ફૂટે ત્યારે કોણ વચ્ચે આમાં ભૂત પેઠું ? એ અહંકાર ને મમતાનું ભૂત પેઠું. એ ભૂતને આપણે ઓળખો એટલે પછી જાગતા ઊંઘાય એટલે ઉઘાડી આંખે ઊંઘવું, તો કશી ભાંજગડ જ નહીં ને ! અને

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155