Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 114
________________ આપ્તવાણી-૧૧ ૧૯૭ દાદાશ્રી : મને ભેગો થયો એ મારે ત્યાં બુઝાય, એટલે આ આમને બધાંને પેસવા દીધાને ! જ્ઞાનદશા, વ્યવસ્થિતને આધીત ? પ્રશ્નકર્તા ઃ આપને આ ચાર ડીગ્રી જે છે, એ જે ખૂટે છે એ સ્વભાવ આધીન છે કે વ્યવસ્થિત આધીન છે ? દાદાશ્રી : પોતાની દશા વ્યવસ્થિતને આધીન હોતી નથી. એ તો આપણો પુરુષાર્થ કામ કરી રહ્યો છે. પુરુષ થયા પછી પુરુષાર્થ કામ કરે છે. પણ પુરુષાર્થ અહીં ફળ ના આપે. ત્યાં બીજા ભવમાં જાય તો જ પુરુષાર્થ ફળ આપે. પણ અહીં આગળ પુરુષાર્થ શરૂ થઈ જાય ખરો ! વ્યવસ્થિતનાં તાબામાં સંસારી ચીજો હોય. પોતાની દશા વ્યવસ્થિતના તાબામાં ન હોય. સમજાયું ને ? સાડાબાર વર્ષ મહાવીરતી દશા ! ૧૯૮ આપ્તવાણી-૧૧ અમારે એવું કંઈ છે નહીં. ભીખથી રહિત છીએ. તમામ પ્રકારની ભીખ નથી. પછી હવે આથી વધારે શું જોઈએ ? પણ જગતને કંઈક લાભ થશે, લોકોને ! પ્રશ્નકર્તા : આ, ચીજ મળે એવી નથી. જગત માને યા ના માને એ જુદી વાત છે. બાકી અનંતકાળે ‘આ’ મળે એવી ચીજ નથી. દાદાશ્રી : અનંતકાળમાં ન પ્રાપ્ત થાય એવી વસ્તુ છે આ. આ દસ લાખ વર્ષે પ્રગટ થયેલું છે ! તો આપણું કામ કાઢી લેવાનું છે. હું શું કહેવા માગું છું ? કામ કાઢી લો. એટલે ભગવાને આવો કશો ત્યાગ કર્યો ન હતો. આ લોકો કહે છે ને, એ વગર કામના ભગવાનને વગોવે છે. કારણ કે, એથી તો વૈષ્ણવો કંટાળી ગયા કે મહાવીર ભગવાનને આટલાં આટલાં દુ:ખ પડ્યાં! આટલો બધો ત્યાગ એમને કરવો પડ્યો ? ત્યારે બીજા લોક એમ સમજ્યા કે ભગવાન એમના કેવા ? એના કરતાં અમારા કૃષ્ણ ભગવાન સારા, કહે છે. ડખો ય નહીં ને ડખલે ય નહીં. કારણ વીતરાગોને ઓળખી શકે નહીં ને, આ લોકો ! એમની પાછળની જે વંશાવળી પાકી, તે લોકોએ વીતરાગોને ઓળખ્યા નહીં ને વીતરાગો ખોટા દેખાય એવું ચિતરામણ કર્યું. ભગવાનને ઉદયકર્મના આધીન હતું બધું ય. એ પોતે પોતાની કોઈ પણ ઇચ્છાથી કરતા ન હતા. સંસારમાં કોઈ પણ ઇચ્છા એમને ન હતી. ઉદયકર્મના આધીન ગાડી, જ્યાં ઉદય લઈ જાય, ત્યાં ગાડી જવા દેતા હતા. લગામ છોડી દીધી હતી. પાંચે ય ઘોડા એની મેળે ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : એ લગામ છોડી એ પુરુષાર્થ હતો ? દાદાશ્રી : મોટામાં મોટો પુરુષાર્થ, એ જેવો તેવો પુરુષાર્થ ના કહેવાય ! એના જેવો બીજો ઊંચો પુરુષાર્થ નથી ! પ્રશ્નકર્તા : એ ઉદયકર્મનો પુરુષાર્થ હતો ? દાદાશ્રી : ઉદયકર્મનો પુરુષાર્થ નહીં, એ પુરુષાર્થ તો પુરુષનો ! પ્રશ્નકર્તા : મહાવીર ભગવાને સાડાબાર વર્ષ ને પંદર દિવસ તપ કર્યું. એ શું નિમિત્ત હશે ? એ એમનો પુરુષાર્થ કે આગળના ઉદયાધીન ? દાદાશ્રી : એ ઉદયાધીન. અને હા, એમાં પુરુષાર્થ તો અંદર ખરો જ. પણ બહાર નો ભાગ ઉદયાધીન. જે બહાર, જગતના લોક જુએ છે એ ઉદયાધીન છે, અને પોતે જુએ છે એ પુરુષાર્થ છે. તે એ જ પુરુષાર્થ અમારો ચાલુ છે. બહાર જે જુઓ છો એ ઉદયાધીન છે. અંદર અમારો પુરુષાર્થ છે. પણ અમારે અહીં આગળ પરીક્ષા લેનાર કોઈ છે નહીં. કોઈ કહેશે, ભઈ કેમનું છે અહીં પડી રહેવાનું ? ત્યારે અમે કહીએ કે તું પડી રહેવાનું ના બોલીશ. અમારે આ પદ જ જોઈએ છે બોલ. અને અમારે પરીક્ષા જ નથી આપવી. તું પરીક્ષા લેવા આવે તો ય નથી આપવી બોલ. માટે અમારી પર તું કરૂણા ના ખાઈશ. અમારે અહીં ક્યાં ખોટ છે ? કશી ય ખોટ નથી. તેની તે જ દશા અહીં રહી શકાય એવું છે. ફક્ત ‘આ’ અમે કેવળજ્ઞાનમાં નાપાસ કહેવાય, એટલું જ ને ! ત્યારે એ તો અમારે વાંધો જ નથી. કીર્તિ-અપકીર્તિથી રહિત થઈ ગયેલા છીએ. હા,

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155