________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઠારમો )
નેત્રરંગ પ્રકરણ
( ૩૦૯)
-
-
-
-
-
-
-
-
-
રસ કે કઢામાં કંડ પાડ અને ૭ વાર સ્ત્રીઓના ધાવણુથી ઠંડો પાડવો. પછી એ સુરમાને સારી પેઠે ઘુંટી ચાળી આંખમાં આંજે તે તેથી સર્વ પ્રકારના આંખના રોગ અવશ્ય મટી જાય છે. આ સૈવીરાજન કહેવાય છે. ( આ સ્નેહનચૂર્ણ છે. ) અથવા શુદ્ધ સીસાને વારંવાર તપાવી ત્રિફળાના રસમાં, જળભાંગરાના રસમાં, આદાના રસમાં, ધીમાં, મધમાં, ગોમૂત્રમાં, અને બકરીના દુધમાં જેમ પાછું ઉડે નહીં તે પ્રકારે એક પછી એક માં ઠારવું. પછી તે ઉત્તમ સીસાની શળી બનાવીને આંખમાં ફેરવ્યા કરવી, જેથી તે સર્વ પ્રકારના નેત્રના વિકારોનો નાશ કરે છે. આને દૃષ્ટિ પ્રસાદનાશાળી કહે છે. અથવા ઉપર કહેલા પ્રકારે સીસાને શુદ્ધ કરી તેના બબર શુદ્ધ પાર લઈ તે બન્નેના બરાબર શુદ્ધ સુરમે મેળવી સર્વનું અંજનગચૂર્ણ કરી તે ચૂર્ણના દશમાં હિસ્સે બરાસ મેળવી પુનઃ ઝીણું ઘુંટી ચાળી લેવું. આના અંજનથી સઘળા પ્રકારના નેત્રના રોગ મટી જાય છે. આ નયનામૃત વા પ્રત્યંજન કહેવાય છે.
સાપનું ઝેર દૂર થવાનું અંજન ચૂર્ણ-શુદ્ધ નેપાળાની મીંજને લીંબુના રસની ૨૧ ભાવનાઓ દઈ ઝીણી ઘુંટી જવ જેટલી લાંબી વાટ કરી માણસની લાળમાં ઘસી અખિમાં જે તે સાપનું ઝેર નાશ થાય છે અને તે માણસ જીવે છે. શાધર,
આંખ દુખતી હોય તે-અજરૂતર અને હીંમજ એ બન્નેને પાણીમાં ઘસી આંખની ચારે કોર તેને લેપ કરે તે વાયુ પિત્ત અને કફ વગેરે વિકારોથી આંખમાં દુખાવો થયે હૈય તે મટી જાય છે. ગ્રંથક કહે છે કે, આ પ્રયોગ મારે અનુભવેલ છે. અથવા કુબાના રસમાં ખી હિંગને ઘસી આજે તે આંખમાંની પીળાશ (કમળો) માત્ર થોડા વખતમાં જ નાશ પામે છે. અથવા તુલસી અને બીલીને રસ સમાન ભાગે લઈ તે બન્નેની બરાબર સ્ત્રીનું ધાવણ લઈ કાંસાની થાળીમાં નાખી ગજવેલના બત્તાથી સારી પેઠે ઘુંટી ફરી ત્રાંબાના બત્તાથી ૩ પિહાર સુધી ઘુંટી જ્યારે કાજળ જેવું થાય ત્યારે આંખમાં આંજે તે તુરત આંખના રોગ-શળ પાકવું વગેરે મટી જાય છે. આને નારાયણજન કહે છે. અથવા સુંઠ, હરડેની છાલ, વગડાઉ કળથી, શુદ્ધ ખાપરીએ, ફટકડી, ઘેળો કાથો અને માયાં એઓને સમાન ભાગે લઈ, તેથી અરધ ભાગે બરાસ, કસ્તૂરી અને વગર વિધેલાં સાચાં મોતી લઈ સઘળાંને લીંબુના રસમાં ૩ દિવસ ઘુંટી ગોળીઓ બનાવી પછી પાણી સાથે ઘસી ને આજે તે તિમિર, સ્ત્રીના ધાવણ સાથે આજે તે ફુલું, તથા મોતીઓ, મધમાં આજે તે આંખનો મેલ, લસણના રસમાં ઘસી ને આજે તે પાણીનું ઝરવું, જળભાંગરાના રસથી રતાંધળાપણું, ગોમૂત્રથી આજે તે ચીપડાં કે આંખનું રહેવું અને કેળના રસથી આજે તે, આંખમાં વધતું માંસ એ સર્વ મટી જાય છે, અર્થાત જુદાં જુદાં અનુપાનેથી જુદા જુદા રોગોને નાશ કરે છે. આ નયનામૃતવ. ઠી કહેવાય છે, અથવા અંધાડાનાં પાંદડાંને એક મૂષ-કુલડીમાં પાથરી તે ઉપર શુદ્ધ જસદનાં પાતળાં પતરાં પાથરી તે ઉપર ફરીને અંઘાડાના પાંદડાં પાથરવાં. આ પ્રમાણે ગોઠવી તે મૂષને મુદ્રા દઈ સુકવી અંગારામાં ગોઠવી યુક્તિ સાથે ધમણથી કે ભુંગળીની ફેંકથી ધમી
૧ પ્રત્યેક વસ્તુમાં –૭ વાર ઠારવું એમ વાગભટનું પણ કહેવું છે; છતાં પ્રત્યેક ટીકાકારે ૫૦૦ ૫૦, ૨૫, ૫૦,ર૫ અને ૨૫ વાર, એમ કમવાર દ્રવમાં ઠારવા લખે છે પણ શા ધરમાં તેને મૂળપાઠ હતાં તે કેવળ અસત્ય કરે છે, કેમકે ૬-૭ વાર ઠારવું એમ સ્પષ્ટ લેખ છે, માટે જે શુદ્ધ લેખ છે તે ગ્રહણ કરેલ છે. ૨. આ મુગલાઈ દવા છે અને તેને ગુજરાતીમાં શું કહે છે તે જણાયું નથી.
ભા, કર્તા,
For Private And Personal Use Only