Book Title: Aagamna prakhar vyaakhyataao
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 10
________________ આગમ વિવરણ સાહિત્યમાં ઉપલબ્ધ કેટલું ? - નિર્યુક્તિ સાહિત્યમાં બાર નિર્યુક્તિની રચનાનો ઉલ્લેખ મળે છે, પણ તે બાર નિર્યુક્તિમાં--- (૧) ઓઘનિર્યુક્તિ અને (૨) પિંડનિર્યુક્તિ એ બંને નિર્યુક્તિ પિસ્તાલીસ આગમમાં મૂળસૂત્ર રૂપે સ્થાન પામેલ છે. (૩) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૪) ઋષિભાષિત એ બંને સૂત્રો પરની નિયુક્તિ અપ્રાપ્ય બની છે. (૫) બૃહત્કલ્પ અને (૬) વ્યવહાર સૂત્રની નિર્યુક્તિ ભાષ્યમાં ભળી ગઈ છે. બાકીની છ નિર્યુક્તિઓ સ્વતંત્ર રીતે પ્રાપ્ય છે તે આ પ્રમાણેઃ- 1.સાવર-નિત્તિ, 2.સૂવવૃત્ત-નિતિ, 3.zશાશ્રુતસ્કંધ-નિતિ, 4માવશ્ય- નિવા, 5:4શવૈવાનિવ-નિતિ, ઉત્તરાયયન નિતિ. - ભાષ્ય સાહિત્યમાં અમારી જાણમાં દશ ભાષ્યો છે, જેમાં છ છેદ સૂત્રમાંના ચાર છેદસૂત્રો અને વૈકલ્પિક છેદસૂત્ર પંચકલ્પ પર એક ભાષ્ય ઉપલબ્ધ છે. ચારે મૂલસૂત્રો તથા વૈકલ્પિક એક મૂલસૂત્ર ઉપર એમ પાંચ ભાષ્યો મળીને દશ ભાષ્યો આગમ સાહિત્યમાં ઉપલબ્ધ છે. (જો કે ઉત્તરાધ્યયન સૂત્ર પરનું ભાષ્ય અમે જોયેલ નથી, તેની ગાથાઓ નિર્યુક્તિમાં ભળી ગઈ હોવાનું સંભળાય છે, પણ તેનો ચોક્કસ નિર્ણય અમે કરી શકેલ નથી.) * ચૂણિ સાહિત્યમાં અમોને સોળ સૂત્રો પરની ચૂણિનો ઉલ્લેખ મળેલ છે, પણ તેમાં જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રની ચૂણિ વિષયે હીરાલાલ કાપડિયાએ પ્રશ્નાર્થચિહ્ન ઊભું કરેલ છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [10] મુનિ દીપરત્નસાગર

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28