SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૬. તૂસ ગભ, બે ટંક, સૈધવ | ટંક. ૪ પ્રહર સુધી કાચની કટોરીમાં રાખે. સવારે ખાલી પેટે ખાવું, પથ્યમાં માત્ર ખીચડી જ ખાવી, ફીહા વગેરે ઉદરરોગ જશે. છે. અજમાના ચૂર્ણને એરંડ તેલની ૫-૭ ભાવના આપવી પછી ફીણાવાળાને ૨ તોલા જેટલી માત્રા આપવાથી આશ્ચર્યકારક લાભ થાય છે. ૮. એળિયે, કલમીશેર, ટંકણખાર, સમભાગે લઈને વાધના મૂત્રમાં ઘૂંટી બેર સમાન ગાળી બના વલી, ગોળ સાથે ખવડાવવી. દિવસમાં ૩ વખત ૪૯ દિવસ આપવાથી ગમે તેવો ફીહા હોય, મટશે. ૯. આકડાનાં પાન ૧ શેર, હાંડલામાં નાખી રાખ કરવી, પછે આ રાખમાં સેંધવ ભેળવવું, તેલ ૧ રોજ લેવાથી ફી ૨૧-૨૨-૪૮ દિવસમાં સારો થશે. ૧૦. એળિયો, સંચળ, સાજી, સમ વાટી સ્વમૂત્રથી રંક ૪ ની ફાકી લેવાથી ફી મટે છે. દવા સવારે આપવી અને સાંજે મૂળ સાજી ચૂર્ણ સાથે ખાવો. ૧૧. સેહગી ટૂંક ૧, પાશેર ઘઉંના લોટની બાટી બનાવી પકાવો, પછે કાઢીને ટુંક ૧૦ ખાંડ સાથે ૩ દિવસ લેવો, ગેળા ગળી જશે. ૧૨. વાયવિડળ, ત્રિફલા, ચેષ, વિષાણુભસ્મ, સમભાગે લઈ ચૂર્ણ કરી ૨ ટેક ગૌદ્ધ સાથે લેવું. ગેળા નહિ રહે. ૧૩. શુદ્ધ ફટકડી, કલમી શોર, અજમે ધાણા, સાજી, વાડવિડંગ જોખાર, સહગી–ફૂલાવેલ, નૌસાદર શુદ્ધ, પંચલૂણ, આકડાનાં પાકાં પીળાં પાન, બધી વસ્તુ ૧૧-૧૧ ટંક લઈ વાટી ચૂર્ણ કરવું, પછી સચિકણ વાસણમાં નાખી, તેમાં લીંબૂનો રસ નાંખવો, વાસણ ખૂબ પેક કરી ભૂમિમાં ૧૫ દિવસ ગાડવું, પછી છાયા શુષ્ક કરી નિત્ય ૧ ટંક લેવું. ઉપર કાળા બળદને પેશાબ પીવો, કદાચ ફ્રાઈને આ અજુગતું લાગે તે ઉના પાણીને ઉપયોગ કરવો, આ ઔષધથી ગેલે, ફીહો, તિલ્લી કાળજૂ આદિ અનેક પેટની વ્યથાઓ શાન્ત થાય છે. જે કદાચ કોઈ જમીનમાં ન રાખી શકે તે ઘઉ' કે બીજા અનાજની કેડીમાં રાખી ને પછી ઉપયોગમાં લઈ શકે. અનેક વખત અનુભૂત કરેલ છે. ૧૪. પીપલ, જીરું મરી, હીંગ, લસણ, ખાર, તંતડી, અમલવેત ૪–૪ તેલ, ઘી ૧ શેર, દહીનું પાણી ૧!! શેર, સર્વ એકત્ર કરી આગ પર ચઢાવે, ધૃતાવશેષ ઉતારી અંક ૨ નિત્ય ઉપયોગમાં લે, ગુર્ભનાશ માટે ઉપકારી છે. ૧૫. નિશાંત, ત્રિફલા, રાસ્ના, વચ, કડૂ, રીંગણી, સમ ચૂર્ણ કરી લે શેર પાણીમાં નાખી ચુલા પર ચઢાવે પાશેર અવરિષ્ટ રહે ત્યારે ઉતારી ૧-૧ શેર દૂધ અને ધૃત. ૪ તોલા ગૃહરનું દૂધ નાંખી વળી ગરમ કરે. ઘી માત્ર રહે ત્યારે એ ઘી જાળવી રાખે, ૨ તોલા રોજ ઉપયોગ કરવાથી ગોળ, કઠોદર, શોથ, પાંડુ, આમ જવર, જલોદર, ઉદર ગ્રંથી આદિ અનેક રોગ મટે છે. ૧૬. સેંધવ, ત્રિફલા, સુંઠ, વાડવડિંગ, ત્રિકુટા, કચલુણ, ચિત્રક, નાગરમોથ, જીરું, કાળું જીરું, જવખાર, ટંકણખાર, સિરયૂ, તજ, લસણું, હીંગ, બધુંયે ભેગું કરી અજાકીર અથવા મૂત્ર તથા એરંડિયાની ૧-૧ ભાવના દે, પછી દવાને ગળે એરંડિયાના પાનમાં રાખી કપડભટ્ટી કરી અગ્નિમાં ફૂંકે. સવારે ઔષધ કાઢી જેટલું સહન થાય તેટલું નિત્ય લેવું, અડધો તોલો તો લેવું જ, ગેલે ફીહો મટે છે.
SR No.034348
Book TitleAyurvedna Anubhut Prayogo Part 01
Original Sutra AuthorN/A
AuthorKantisagar
PublisherBalabhai Lalabhai Makwana
Publication Year1968
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy