SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ નાખવાની પ્રવૃત્તિ એ ક્રૂરતા નથી તો બીજું શું છે ? એમાંય આ તો અસીમ ઉપકારી માતા-પિતાને (બીમાર હોવાથી) મારી નાખવાની વાત ! દુષ્ટતાની પરાકાષ્ટા ન કહેવાય તો બીજું શું કહેવાય ? સાચી હકીકત તો એ છે કે માતા-પિતાને રિબામણમાંથી કે દર્દમાંથી મુક્તિ અપાવવાની વાતને આગળ કરીને, તેમને મોતના મુખમાં ધકેલી દઇને, તેમની સેવા-ચાકરી કરવાની ઝંઝટમાંથી આપણે જ છૂટકારો મેળવી લઇને શાંતિનો અનુભવ કરતા હોઇએ છીએ. બે યુવાનોએ પોતાની કેન્સરની પીડાતી માતાને, તેને કેન્સરની પીડામાંથી મુક્તિ અપાવવાને માટે તેની જ સાડીનો ગાળિયો બનાવીને, તેના જ ગળામાં નાખી દઇને, તેને ગુંગળાવીને મારી નાંખી હતી. રે ! ભારતના સંતાન ! કેવી તારી અધમ મનોદશા ! જગતને માતાપિતાની પૂજા કરવાનો ઉપદેશ આપનારા સંતો જે ધરતી ઉપર પાક્યા તે જ ધરતી ઉપર માતાને મોતને ઘાટ ઉતારનારા નરરાક્ષસ પુત્રો પણ પાકે છે તે કેટલી આઘાત-જનક ઘટના છે ! પિતાને હાંકી કાઢતો દુષ્ટ પુત્ર : માતા-પિતાના ઉપકારોને ધમરોળી નાંખનારા બીજા એક પુત્રની વાત યાદ આવે છે. કાળી-મજૂરી કરીને બાપે પૈસા ભેગા કર્યા અને તેણે દીકરાને પરદેશ મોકલ્યો. દીકરો સારું ભણીને સારું કમાઇને ઘડપણમાં પોતાની આંતરડી ઠારશે એ આશાએ... દીકરો પરદેશ ગયા પછી ભણતાં ભણતાં કોઇ અંગ્રેજ રૂપાળી કન્યાના પ્રેમમાં પડ્યો અને તેણે ત્યાં જ લગ્ન કરી લીધાં અને ત્યાં જ “સેટ' થઈ ગયો. શરુઆતમાં તો પુત્રના પત્રો બરાબર આવતા રહ્યા...પણ પછી ધીરે ધીરે પત્રો આવતા બંધ થયા...આથી માતાના હૃદયમાં ફાળ પડી કે દીકરો ક્ષેમકુશળ તો હશે ને ? પ્રતિપળે દીકરાના મંગલની ચિંતા કરતી માતાએ પોતાનાં ઘરેણા વેચીને, પરદેશ જવાની ટિકિટના પૈસા આપીને પોતાના પતિને પુત્રની ખબર કાઢવા પરદેશ મોકલ્યા.
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy