________________
=
– અગ્નિ વડે જેમ સુવર્ણ (શુદ્ધ થાય) તેમ કોશાના સંસર્ગ વડે જેઓ અધિક તેજસ્વી બન્યા તે સ્થૂલભદ્ર મુનિવર ચિરકાળ જય પામો.
– જેઓ વેશ્યારૂપી મહાસર્પિણીના મુખમાં પડવા છતાં શીયલરૂપી મહામંત્રના બળે દશાયા નહીં તે મુનિવર સ્થૂલભદ્ર સ્વામીના ચરણયુગને હું વંદું છું. – કોશાએ મૂકેલા કટાક્ષોને જેમણે અત્યંત ધીરતાપૂર્વક ગણકાર્યા નહીં તેવા શ્રી સ્થૂલભદ્રસ્વામીના પદકમલને હંમેશા હું નમું છું.
– ગુરુ ભગવંત શ્રી આર્યસંભૂતિવિજયસૂરિ વડે પણ વિશેષ પ્રકારે- દુષ્કરદુષ્કરકારકપણે જેમની પ્રશંસા કરી તે. કામદેવરૂપી હાથીના કુંભસ્થળને ભેદનારા, મોહમલ્લને હણનારા સ્થૂલભદ્રસ્વામીને ધન્ય છે
– હજાર આંખવાળા ઈન્દ્ર મહારાજા પણ જે સ્થૂલભદ્રસ્વામી ભગવાનની ધ્યાનસ્થિરતાનું વર્ણન કરવા અસમર્થ છે કે જે ધ્યાનાગ્નિ વડે ત્રણ જગતને વશ કરનારો કામદેવ સ્વયં માખણની જેમ ક્ષય પામ્યો.
– કામદેવરૂપી સુભટને હણનારા શ્રી સ્થૂલભદ્રસ્વામીના ચરણોમાં તમે ભક્તિના સમૂહ વડે ત્રિકાળ, મન-વચનકાયાના યોગો વડે કરવા, કરાવવા અને અનુમોદના વડે પ્રણામ કરો. (અ) ૩૪-૪૬)
~ ૮૬
૩ શ્રીવિશ્વન
—