SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ * છે. શ્રી સ્થૂલભદ્ર સ્વામીનું વૃત્તાંતઃ ગાથાર્થઃ – આંબાની લુમ (બેઠા બેઠા) તોડવી તે દુષ્કર નથી, શિક્ષિત એવી મારે (સરસવના ઢગલા પર) નાચવું તે કપરું નથી, પણ યૌવનવયમાં રહેલા છતાં જે મહાનુભાવે દીક્ષા લીધી અને સારી રીતે પાળી તે દુષ્કર છે. – નિર્મળ એવા શીયળથી અલંકૃત અને અતિ દુષ્કર કાર્ય કરનારા શ્રી સ્થૂલભદ્રસ્વામીના ચરણકમળમાં હંમેશા અમે નમીએ છીએ. – જેઓ કટાક્ષ, હાવભાવ અને વિવિધ પ્રકારના શૃંગારયુક્ત વચનોથી વાળના અગ્રભાગ જેટલા પણ (સહેજ પણ) ચલિત ન થયાં તે સ્થૂલભદ્રસ્વામીને નમસ્કાર હો. – પૂર્વે અનુભવેલી એવી રહસ્યભૂત વાતો બોલતી કોશા વેશ્યા વડે જરા પણ ચલિત ન થયેલા શ્રી સ્થૂલભદ્રસ્વામીને નમસ્કાર થાઓ. – અતિ ઉભટ એવા લાવણ્યના પુણ્યથી ભરેલા કોશાના અંગો જોવાછતાં જેઓ ક્ષોભન પામ્યા, તેમને નમસ્કાર થાઓ. – જેઓ મોટા કટાક્ષરૂપી તીણ એવા બાણોની શ્રેણિથી પણ વિંધાયા નથી અને મેરુની જેમ નિષ્પકંપ રહ્યાં તે મુનિવર જય પામો. – સર્વત્ર અસ્મલિત અને ગર્વયુક્ત એવા પણ કામદેવને હણીને જેમણે જયપતાકા પ્રાપ્ત કરી તે સ્થૂલભદ્રસ્વામીને ત્રિકાળ અને ત્રિવિધ નમસ્કાર થાઓ. स्तवप्रकरणम्॥ Seeી ૮૫
SR No.032276
Book TitleRushimandal Stav Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaynayvardhansuri
PublisherBharatvarshiya Jinshasan Seva Samiti
Publication Year2014
Total Pages114
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy