SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકને જે સારું સર્જન કરતા ન આવડે તે એને હજાર લકને ગેરરસ્તે દોરવાનું મહાપાપ લાગે. લેખક શૃંગારિક લેખન કરીને, માનસિક ગલગલિયાં કરાવે, એવી વાતે લખીને યુવાને રવાડે ચઢાવે. આવા વાંચનથી યુવાન ગાડે થાય, નાચવા લાગે, બારણું બંધ કરી શૃંગારિક વાર્તા-નવલકથા વાંચે. એનું જીવન બરબાદ થઈ જાય. એને એમાંથી શું મળે છે? એ લખાણમાંથી જીવનના કલ્યાણ માટે . . એક પંક્તિ પણ મળતી નથી. શાસ્ત્ર-પ્રતની કિંમત કોને સમજાય? એક બ્રાહ્મણ હતે. એનાં કુળદેવી આશાપુરી માતા પાસે ગયે, દેવીની ભક્તિ કરી દેવી પ્રગટ થયાં. બ્રાહ્મણે કહ્યું કે મા, કંઈક આપે, મારી સ્થિતિ અતિદરિદ્ર છે. દેવી કહેઃ હે બ્રાહ્મણ! તારા ભાગ્યમાં કશું નથી, હું શું આપું?” આપનાર પણું નસીબ જોઈને આપે છે. બ્રાહ્મણ કહે “મા કંઈક તે આપ.” બહુ આજીજી કરી, ત્યારે દેવીએ માંડ માંડ એક પિથી આપી અને કહ્યું કે આ પોથીને તું રૂપિયા પાંચમાં વેચજે. બ્રાહ્મણ કહેઃ “દેવી! તે પછી 500 રૂપિયા જ આપ ને? ' દેવી કહે: “ના, તારા નસીબમાં જ નથી” ઘરની પસ્તીના ચાર આઠ આના જ આવે ને? સારા ગ્રંથે પણ ઘરમાં રાખવા ગમતા નથી કેમકે તમારું ફરનીચર બગાડે છે, શેભા રૂપ નથી લાગતા. દુકાનમાં 10 લાખનું. ફરનીચર બનાવે ત્યાં હિસાબના ચેપડા શોભારૂપ; પણ ઘરમાં સારા ગ્રંથો નહીં. છાપાવાળાને વેચી જ દેવાના. પછી ભલેને રૂપિયે કે બારઆને કિલે વેચાય!
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy