SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પના કરો કે સારા ગ્રંથની છે કિંમત? છાપાવાળા પાસેથી જાય એ કુટપાથ પર. ક્યારેક કોઈને એની કિમત સમજાય અને લેવા Uછે તે કુટપાથનો વેચનારે ય પાંચ રૂપિયાની કિંમતવાળી પાંચઆનામાં લીધેલી પડીને રૂા. 50 માગશે. એ જાણે છે કે આ પુસ્તક ખરીદનારને ઉપાગી છે. એ તે પાંચડા પર માત્ર મીડું જ ચઢાવે ! ઝવેરી હોય તે જ ઝવેરાતની કિંમત કરે. જ્ઞાની હેય તે જ જ્ઞાનની કિંમત આંકે. અજ્ઞાનીને તે “ભેંસ આગળ ભાગવત.” કઈ જ્ઞાની મહાત્મા શોધવા જાઓ તે ય આજે શેધ્યા જડતા નથી. પેલે બ્રાહ્મણ નગરમાં ફરે છે પિથી વેચવા માટે કહે છે કે જે આપવું હોય તે આપ પણ પાંચસેથી ઓછું નહીં. કઈ કંઈ બોલે છે, કઈ કંઈ કહે છે, પણ કઈ ખરીદતું નથી. બ્રાહ્મણના મનમાં એમ છે કે કંઈક તે લેશે. દેવીએ ખરી કરી! બ્રાહ્મણ જ્યાં વેચવા જાય છે ત્યાંથી જાકારો મળે છે. “ના ભાઈ ના, રવાના થા. પ૦૦ તે અપાતા હશે!” આજે તે કઈ સારા ગ્રંથની કિંમત રૂા. પ૦૦ રાખી હોય તે લેકે શું કહેશે? “સાહેબ! આ ગ્રંથ તે પ્રભાવનામાં મફત આપ જોઈએ. બધાને મફતનું જોઈએ છે. બ્રાહ્મણની પિથીની કઈ કિંમત કરતું નથી. આમ ને આમ મહિને વીતી ગયે. કેઈ લેતું નથી. હવે કરવું શું? છેવટે એક દિવસે બીજા નગરમાં ગયે. ત્યાં એક દુકાને એક યુવાન વણિકપુત્ર બેઠે હતું. તેણે બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું? પોથીની કિંમત આટલી બધી કેમ?” બ્રાહ્મણે બધી વાત કરી. દેવીએ પિથી આપી છે, અને પાંચમાં વેચવાની કહી છે . એટલે પાંચસોથી ઓછું નહીં.”
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy