SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૭ બાલતપ કરવાથી, એટલે અજ્ઞાન કષ્ટ સહનપૂર્વકનાં તપ વગેરે કરવાથી, દુખગર્ભ મેહગર્ભ વૈરાગ્યવાળા, શુભધ્યાનાદિ સાધક, જિન-પૂજા-ભક્તિ-ધ્યાનથી, સાધુ-સાદવની સેવા - વૈયાવચ્ચ - ભક્તિથી, શેક-સંતાપ ઘટાડવાથી, ગુણાનુરાગથી, ઘત પાલનથી, જયણાથી, જી ઉપર અનુકંપા કરવાથી તથા ગુરુવંદનથી, લૌકિક-લે કેત્તર ગુણધારક છે દેવગતિયોગ્ય દેવનું આયુષ્ય બાંધી દેવ બને છે. ' –સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં જે સંક્ષિપ્તમાં તે તે ગતિયોગ્ય છે તે આયુષ્યબંધનાં કારણે જણાવ્યાં છે. તેમાં આદિ કરીને આગળ કહ્યું છે તે આગળ શ્રી શુભવીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં જે કારણે કહે છે તે પણ અત્રે આપ્યાં છે. એવાં તે અનેક કારણ છે કે જે આયુષ્ય બાંધવામાં નિમિત્તભૂત બને છે. દિયરની પાછળ ભાભીએ કેટલા ભવે બગાડયા? વસંતપુરનગરમાં શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. વસુભૂતિ ના ભાઈ ખૂબ રૂપાળ, દેહ દેખાવડે મનેહર અને સુંદર મળે. હૃષ્ટ-પુષ્ટ કાયા કેઈને પણ ગમી જાય તેવી. અવસરે બંને ભાઈઓનાં લગ્ન થયાં. પરંતુ મોટાભાઈની પત્ની કમળશ્રીની નજર-દાનત કામદેવ જેવા નાના ભાઈ વસુભૂતિ ઉપર બગડી. અને એકાન્તને અવસર મેળવીને ભાભીએ દિયરને કહ્યું, “હે દિયર ! મારી ઈચ્છા તમે સંતે.” એમ કહી ભાભીએ દિયર પાસે ભેગની પ્રાર્થના કરી. પરંતુ વિવેકી દિયર વસુભૂતિએ કહ્યું, ‘તમે મારા મોટાભાઈની પત્ની છો. તમે પરણેલા છે, તમે તમારા પતિ સાથે ભેગ ભેગ. મારા માટે તે ભાભી તે મા સમાન છે, હું તે તમારે સ્પર્શ પણ નહીં કરું. અરે! મારી છાયા પણ તમારે સ્પર્શ નહીં કરે તે રીતે હું રહીશ.”
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy