SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ 387 જેવી વાત છે. અર્થાત્ નિરર્થક પ્રયત્ન છે. - સંસારનાં વિષયભેગજન્ય સુખ તે ખરેખર સુખ નથી, તે તે સુખાભાસ છે. માટે તેવાં સુખે તે તજવા જેવા છે. સાચું સુખ આત્માનું સુખ છે. બાકી, સંસારમાં કોઈ એ પુત્ર-પુત્રી આદિ કુટુંબ પરિવારમાં, કેઈએ પત્નીમાં વૈષયિક સુખ, કેઈએ ભૌતિક-પૌગલિક સુખ, તે કેઈએ ધન-સંપત્તિમાં ઐશ્વર્યનું સુખ તે કઈ એ ઈનિદ્રામાં ઍન્દ્રિય સુખ, આ રીતે દરેકે અલગ-અલગ બુદ્ધિથી સુખ માન્યું છે. અને વિચાર કરે આપણું પાસે આ સંસારનાં સાંસારિક સુખ ભેગવવાનાં સાધન તરીકે મન-વચન અને શરીર-ઈન્દ્રિયે બસ આટલાં જ સાધન છે અને તે બધાં જ જડ છે, એકમાત્ર આત્મા જ ચેતન છે. સંસારનાં સુખ પણ જડસાધન-જન્ય જ છે. તે પછી જડસાધન-જન્ય સુખને જડ એવા મન-ઈન્દ્રિય શરીર શું અનુભવી શકે ! અનુભવ કરનાર તે પાછળ ચેતન એ આત્મા છે. તે પછી આત્મા પિતે પિતાને વાસ્તવિક સુખ કે આનંદ ન અનુભવે? શા માટે આ બાહ્ય ક્ષણિક પદાર્થોમાં મેટું નાખે. અને જીવ જે સુખનાં જડ સાધનમાં સુખ માની બેઠે છે, તે જ એની મેટી અજ્ઞાનતા છે સાધનો એ સાધન છે, સાધનમાં સુખ નથી. સંભવ છે કે એ જ સાધન કેઈને દુઃખનું કારણ બને. સંસારમાં સુખ-દુખની અવસ્થાઓ પણ બદલાતી હોય છે. “સંયોગે સુખ અને વિનેગે દુઃખ”—એવી પણ માન્યતા છે; પરંતુ એ પણ વ્યાખ્યા સાચી નથી. ત્યાગી સાધુ જીવન તે વિયોગે સુખ અને સંગે દુઃખ ”—એવું પણ માને છે. અંતે મોક્ષનું સુખ જ સાચું છે. તે જ મેળવવા મહેનત કરવી જોઈએ. દુઃખને ટાળવા અને છોડવા તે ઘણું ભવમાં મહેનત કરી, પરંતુ હવે વીતરાગનું શાસન પામીને સુખને પણ છોડવા મહેનત કરવાની છે. દુઃખને છોડવા ટાળવા મહેનત કરી
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy