SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 163 સ્વમાયાબળ બનાવી. અને એક વ્યક્તિ સાથે સુસાને કહેવરાવ્યું કે નગરીની બહાર પચ્ચીસમા તીર્થંકર પધાર્યા છે, અને સમવસરણમાં દેશના આપવાના છે. આ પ્રમાણે વ્યક્તિએ સુલતાને કહ્યું. પરંતુ તવદષ્ટિ અને સાચી શ્રદ્ધાળુ સુલસા શ્રાવિકા મનમાં વિચાર કરે છે કે–અરે, ક્યારેય પચ્ચીસમા તીર્થંકર તે થતા જ નથી. અને ભરત ક્ષેત્રમાં એક સાથે બે તીર્થંકર પણ હતા જ નથી. પ્રભુ મહાવીર અત્યારે વિદ્યમાન છે, તે પછી આ બીજા તીર્થકર ક્યાંથી આવ્યા? ( આ પ્રમાણે તવદષ્ટિથી પરમાર્થને વિચાર કરીને સુલસા ન ગઈ તે ન જ ગઈ જ્યારે આપણી એવી તીણ પરીક્ષક કે તરવદષ્ટિની બુદ્ધિ પણ નથી. સાચાખેટાને કઈ વિચાર પણ નથી કરતા. અને કાર્ય કરી બેસીએ છીએ. અંતમાં અંબઇ પરિવ્રાજક એક શ્રાવકનું રૂપ લઈને આવ્યો અને સુલસાને કહ્યું કે પ્રભુ મહાવીરે તમને ધર્મલાભ કહેવરાવ્યા છે. સુલસાને આ સાંભળી ખૂબ આનંદ થયે. હર્ષઘેલી બની. આનંદ વિભેર બની પ્રભુની સ્તુતિ કરી. આ હતી સત્યશોધક દઢબુદ્ધિ..શું સત્યમાં દઢતા રાખવી એ ખોટી જિદ છે? ના, સત્યના આગ્રહી તે બનવું જ પડશે, સત્યના શેધક તે બનવું જ જોઈએ. તે જ સમ્યગ્રષ્ટિ બની શકીએ. શુદ્ધ આત્મસ્વરૂપ અનંતજ્ઞાનવાન, અનંતદર્શનવાન, અને અનંત ચારિત્ર્યવાન આદિ ગુણવાળે શુદ્ધ આત્મા સર્વથા વિકારશૂન્ય, દેષરહિત, નિર્મળ પવિત્ર હોય છે. આમાને ત્રીજો ગુણ છે અનંતચારિત્ર. યથાખ્યાત સ્વરૂપ..પિતાનું જેવું વાસ્તવિક સ્વરૂપ છે તેવા જ સ્વરૂપમાં રહેવું અને તેવી પ્રવૃત્તિ કરવી એ જ સાચી સ્વભાવદશા છે. પરંતુ અનાદિ અનંતકાળથી જીવ આ સંસારમાં રહ્યો છે. સંસારમાં જીવને દેહ ધારણ કરીને જ રહેવું પડે છે. ફક્ત
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy