SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ 162 - - મેક્ષની ઈચ્છાથી આ આત્મા સમ્યફલ્વી છે એવું અનુમાન થઈ શકે. આ મેક્ષવિષયક શ્રદ્ધા અને મેક્ષપ્રાપ્તિના લક્ષના કારણે જ ભવિ અને અભવિ જીના ભેદ જુદા જુદા પડે છે. અભવિને મોક્ષની ઈચ્છા પણ થતી નથી. અભવિ તે અહીંથી જ પાછો પડે છે. એટલા માટે જ ક્યારેય પણ સમ્યગ્રસાચી દષ્ટિવાળે બની જ નથી શકતે.. સમ્યમ્ એટલે સાચી-સત્ય દષ્ટિ, માનવની બુદ્ધિમાં સત્ય પ્રત્યે રૂચિ તે અવશ્ય હેવી જ જોઈએ. અસત્ય ન્વેષી બનીને શંકાશીલ બુદ્ધિ રાખીને મિથ્યાદષ્ટિ બનવા કરતાં તો સત્યાન્વેષી બુદ્ધિ રાખીને સત્યના પક્ષપાતી બનવું બહુ જરૂરી છે. સાચું શોધવું, અને સત્ય સમજાતાં અજ્ઞાન ટળશે, શ્રદ્ધા જાગશે, વાસ્તવિકતાનું સ્વરૂપ સમજાશે. માટે જ શ્રદ્ધાળુ બનવું બહુ જ લાભદાયી હોય છે. સુલસાની દઢ શ્રદ્ધા - અંબડ પરિવ્રાજક એક દિવસ રાજગૃહી નગરી તરફ જવા નીકળ્યો. પ્રભુ મહાવીર પરમાત્માને નમન કરીને નીકળે છે. તે સમયે પ્રભુ મહાવીરસ્વામીએ કહ્યું—“હે અંબડ! તમે રાજગૃહી નગરી તરફ જાઓ છો તે સુલસા શ્રાવિકાને મારા ધર્મલાભ કહેજો.” આ સાંભળી અંબઇ મનમાં વિચાર કરે છે–અરે, ભગવાન જેવા એક શ્રાવિકાને ધર્મલાભ કહેવરાવે છે તે એ શ્રાવિકા કેવી હશે? કેવી શ્રદ્ધાળુ કે ભક્તિવાન કેવી હશે? આ વિચારી પરીક્ષા કરવાનું મન થયું. અંબડે રાજગૃહી નગરીની બહાર રહીને બ્રહ્માનું રૂપ વિકુવ્યું, ત્યાર પછી શંકરનું, કૃષ્ણનું, વિષ્ણુનું સાક્ષાત્ રૂપ બનાવ્યું. આ જોઈને નગરીના સેંકડો લેકે આવ્યા પરંતુ સુલસા શ્રાવિકા તે ન ગઈ તે ન જ ગઈ. અંતે અંબડે સમવસરણ બનાવ્યું. તેમાં પ્રભુની જેમ બિરાજમાન થઈને દેશના આપવાની રચના પણ
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy