SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ શ્રી કલ્પસૂત્રહજાર વરસે શ્રી મહાવીરનું નિવાણ થયું અને ત્યારપછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ. અહીં મુનિસુવ્રતના નિવાણથી પુસ્તકવાચનાદિના આંતરાના વરસની એકંદર કુલ સંખ્યા ગણુતાં અગીયાર લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસ થયા, તે કુલ સંખ્યા સૂત્રકારે દર્શાવી છે, એવી રીતે દરેક ઠેકાણે સમજી લેવું.) એટલે શ્રી મુનિસુવ્રતના નિર્વાણ પછી છ લાખ વરસે શ્રી નમિનાથનું નિર્વાણ થયું, ત્યારબાદ પાંચ લાખ, ચેરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ. ' (૧૯ મા જીનેશ્વર) શ્રી મલ્લિનાથના નિવાણકાળથી પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વ્યતીત થયાં અને દસમા સેકાને આ એંશી સંવત્સરકાળ જાય છે. એટલે શ્રી મલ્લિ. નાથના નિર્વાણ પછી ચેપન લાખ વરસે શ્રી મુનિસુવ્રતનું નિર્વાણ થયું. ત્યારપછી અગીયાર લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ. (૧૮ મા જીનેવર) શ્રી અરનાથના નિર્વાણકાળથી એક હજાર કોટી વરસ વ્યતીત થયા, બાકીના કાળને પાઠ શ્રી મલિનાથ પેઠે સમજ, અને તે આ પ્રમાણે – શ્રી અરનાથના નિર્વાણ પછી એક હજાર કટિ, પાંસઠ લાખ અને ચોરાશી હજાર વરસ વ્યતીત થયાં, તે સમયે શ્રી મહાવીર નિર્વાણ પામ્યા. ત્યારપછી નવસે વરસ વીતી ગયા, અને દસમા સૈકાને આ એંશીને સંવત્સરકાળ જાય છે. આ પ્રમાણે પાઠને કમ અગાડીના સૂત્રમાં પણ શ્રી શ્રેયાંસનાથ સુધી સમજવો. તાત્પર્ય એ છે કે શ્રી અરનાથના નિર્વાણ પછી એક હજાર કેટી વરસે શ્રી મલ્લિનાથનું નિર્વાણ થયું, ત્યારપછી પાંસઠ લાખ ચોરાશી હજાર નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ. (૧૭ મા જિનેવર) શ્રી કુંથુનાથના નિર્વાણકાળથી એક
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy