SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] (૬૬૫ રૂપ બનો. જે આત્મામાં સરવાળો માંડવે છે તે કઈ પણ રીતે પાપથી અટકો, પાપથી પાછા વળો. જે સમકિત સહિત સર્વવિરતિમાં આવે, સંયમી જીવનને સ્વીકાર કરે તે તે સૌથી મોટી કક્ષાને સરવાળે છે. સંયમી જીવનને અપનાવી શકે એટલી તમારી શક્તિ ન હોય તો સમક્તિ સહિત ૧૨ વ્રતમાં આવો અથવા ૧૨ વ્રત પૈકી ગમે તે વ્રત લે, તે મધ્યમ કક્ષાને સરવાળે છે. સમ્યક્ત્વ આવે એટલે અનંતાનુબંધી ચેકડી અને દર્શન મેહનીયની ૩ એ સાત પ્રકૃતિએને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ થયો. સમ્યકત્વ સહિત બાર વ્રતને કે કઈ પણ વ્રતને તથા પંચમહાવ્રત રૂપ સંયમી જીવનને સ્વીકારવા માટે જેને આત્મા તલસતે હેય, તરફડતો હોય એવા શ્રાવક શ્રાવિકા તથા કઈ પણ આત્મા ભગવાનના સંઘમાં છે. બાકીનાની એમાંથી બાદબાકી થઈ જાય છે. મારે બાદબાકી નથી કરવી પણ તમારે નંબર સરવાળામાં રાખે છે. શ્રાવક શ્રાવિકા અર્થ-કામની વચ્ચે રહેવા છતાં એને શત્રુ હેય. તે શ્રાવકના તે આદરે છતાં મનમાં માને કે હું કાયર છું કે સંયમ લઈ શકતું નથી. લેવા જે હોય તે સંયમ છે. એ તેના આત્મામાં ઉલ્લાસ હોય. તે સંસારમાં બેઠા હોય છતાં રાત દિવસ તેમની એ ઝંખના હોય કે કયારે હું આ પાપમય સંસારથી છૂટું ? કેદી કેદખાનામાં બેઠા હોય, ત્યાં બધી સગવડતા હોય છતાં તેની ભાવના તે સતત એ જ હોય કે કયારે હું આ જેલમાંથી છૂટું ! તેમ આત્માથી જીવની ભાવના સંસારથી છૂટવાની હોય. મનુષ્ય જીવન પામીને કરો સદ્દગુણને સરવાળે સાધુ કે શ્રાવક બની શકે ના, નિષ્ફળ છે જન્મારો. આ મનુષ્ય જીવન પામીને સાધુ કે શ્રાવક એકેમાં નંબર ન લાગે તે સમજવું કે જીવનમાં શૂન્યને સરવાળે છે માટે સંયમી ન બની શકે તો શ્રાવક તો બને. શ્રાવક બજારમાં કમાવા જતો હોય તે એ ન છૂટકે જતો હોય. એના પંજામાંથી છૂટી શકાય એમ હોય તો બજારમાં જાય જ નહિ. પેઢીમાં ખોટ આવતી હોય છતાંય વેપારીને એ પેઢી ચલાવી લેવી પડતી હોય છે કારણ કે પેઢી ચાલુ રાખે તો બગડેલી બાજી સુધરવાની તક રહે પણ એના મનમાં ખોટનું દુઃખ તે સતત રહેતું હોય. સમકિતી શ્રાવકની સ્થિતિ પણ આવી હોય. કર્મના ઉદયે સંસારમાં રહેવું પડે તો એ રહે પણ એની બેચેની એને સતત રહ્યા કરે. નાની પેઢી ચલાવતી વખતે આંખ સામે મોટી પેઢી તરવરતી હેય. નાની પેઢીમાંથી મોટી કરવાની ભાવના હોય તેમ શ્રાવક શ્રાવકના વ્રત પાળે પણ એ શ્રાવકની આંખ સામે સર્વવિરતિ ધર્મ તરવરતે હોય એટલે શ્રાવકપણું પાળવા છતાં અંતરમાં ઉલ્લાસ તે એ હોય કે કયારે હું સર્વવિરતિને ગ્રહણ કરું ! આ માનવજીવન જ એવું છે કે જેમાં આત્મા સદ્ગુણને સરવાળે કરી શકે છે. આ મુંબઈ જેવા મોટા શહેરમાં કેટલાક મૂડી કમાવા માટે આવે છે અને ઘણું મેળવેલી લક્ષ્મીને ગુમાવી પણ દે છે તેમ આ માનવ જીવનમાં આવનારા બધા ને નંબર સરવાળામાં મંડાતું નથી. એવા જી આ દુનિયામાં બહુ અલ્પ છે. કેટલાકને નંબર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy