SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શારદા સરિતા વિવેકીને સમકિત આત્માને કદાચ ચારિત્ર–મેહનીયના ઉદયે સંસારમાં રહેવું પડે તે રહે ખરા પણ તેમાં રમે નહિ. સંસારિક સુખને લેશ માત્ર તેને ભાવ ન હોય. ભાવ હોય એક મોક્ષસાધક ધર્મનો છે. મને આ સંસારમાં સાચું સુખ અપાવનાર કેઈ હોય તે મારાદેવ-ગુરુ ને ધર્મ છે. તેમની સેવાથી મને સુખ અને શાંતિ મળશે. કંચન-કામિની અને કીર્તિ મને ત્રણ કાળમાં સુખ આપનાર નથી. આજ સુધી અજ્ઞાનપણે મારી ભૂલના કારણે હું દુઃખના સાધનને સુખના સાધન માની બેઠે હતો. પણ મને સદ્દગુરુને સમાગમ થવાથી સમજાય છે કે કંચન-કામિની-કીર્તિ ને કુટુંબ એ દુઃખના સાધન છે. અત્યાર સુધી દેવ-ગુરુ અને ધર્મને રાગ ન કરવા દેનાર હોય, દેવ-ગુરુને ધર્મની નજીક આવતા રોકનાર હોય તે વિષયનો રાગ છે. વિષયના સંગે ચઢીને મારે આત્મા દુર્ગુણી બને છે. દેવાનુપ્રિયે ! આજે દુનિયામાં જે કંઈ મહિના સાધનોની વૃદ્ધિ થતી દેખાય છે તેનું મુખ્ય કારણ વિષયોનો રાગ છે. વિષ ખરાબ છે એવું તમને લાગે છે? બસ, તમને તે એમ લાગે છે કે દુનિયાના સારા સારા વિષયેના સાધને મેળવવા ને તેને ભોગવવા. આ મેળવવાની ધૂનમાં અમૂલ્ય માનવજીવન વેડફી રહ્યા છે. પણ ખૂબ વિચાર કરો. અને તે બધું મૂકીને જવાનું છે. દૈતિક સંપત્તિ મેળવવામાં જે પાપ કર્યા તેનું પિટલું સાથે લઈ જવાનું છે. પાપનું પોટલું ડ્રગતિમાં લઈ જશે. ત્યાં મારું શું થશે? આ પ્યારા પૈસા-બંગલા–મોટર-પત્ની-પુત્ર-પુત્રીઓને ત્યાં મને વિયેગ પડશે, ત્યારે શું કરીશ? ભયંકર દુઃખે ભેગવવા પડશે. ત્યાં મને કઈ છેડાવવા નહિ આવે. મારી અલ્પ જિંદગીમાં અર્થ, કામને, પુરુષાર્થ કરવાને બદલે ધર્મને પુરુષાર્થ કરવામાં આવે તે ભવિષ્યના અનંતકાળ સુખમય બની જાય. એક વાત નક્કી સમજી લેજે કે “દુઃર્વ પHIK સુવું ઘર્માત્ ”પાપ કરવાથી દુઃખ મળે છે ને ધર્મ કરવાથી સુખ મળે છે. પાપ કરનારને દુઃખ છોડતું નથી અને ધર્મ કરનારને સુખ છોડતું નથી. આ વાત તમે નક્કી સમજી લેજો. પાપને બંધ કર્યો તો દુઃખ તમારી પાછળ આવીને ઊભેલું છે. સમજી લેજે અને ધર્મ કરશે ને સુખને નહિ ઈચ્છો તો પણ સામેથી આવીને ઊભું રહેશે. એક વખત વિષયે પ્રત્યેનો વિરાગ આવી જાય તો પાપની જડ મૂળમાંથી ઉખડી જાય. મિથ્યાત્વ જાય એટલે સમ્યકત્વ આવે અને અવિરતીને પાયે તૂટે તે વિરતિભાવ આવે. વૈરાગ્યવાસિત આત્મા ફળદ્રુપ ભૂમિ જેવું છે. ફળદ્રુપ જમીનમાં જે બીજ વવાય છે તે ઊગી નીકળે છે. તેમ વૈરાગ્યના પાણીથી ફળદ્રુપ બનેલી આત્મભૂમિમાં ધર્મનું બીજ રેપી શકાય છે અને અવશ્ય તે મેક્ષના મીઠા ફળ આપે છે. ત્યાગ-વૈરાગ્ય વિનાની આત્મભૂમિ ઉપર ભૂમિ છે. ઉખરભૂમિમાં વાવેલું ઊંચું બીજ નકામું જાય છે. માટે જીવનમાં વૈરાગ્યની ખૂબ જરૂર છે. તમારા મનમાં એક વાત ઠસી જવી જોઈએ, કે આ અમૂલ્ય માનવજીવનમાં મને પૈસા વિના, પત્ની વિના, ને પુત્ર-પરિવાર વિના ચાલશે પણ દેવ-ગુરુને ધર્મ વિના મારે
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy