SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સાત દીક્ષાવિધિ પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મ. અને ગુરૂણી પૂજ્ય પાર્વતીબાઈ મહાસતીજીના શિષ્યા તરીકે તેમને જાહેર કર્યા. શારદાબહેન તથા સાણંદના બીજા બહેન જીવીબહેનની દીક્ષા સાથે થઈ. તે બંનેને મહાસતી પાર્વતીબાઈ મ.ના શિષ્યાઓ તરીકે જાહેર કરવામાં આવ્યા. જીવીબહેનનું નામ જશુબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. શારદાબહેનનું નામ શારદાબાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. વૈરાગ્ય અને વેવિશાળ વચ્ચેની પાતળી રેખા વિલીન થઈ ગઈ અને વૈરાગ્ય વિજયી બન્ય. તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઈ અને માતુશ્રી સકરીબહેન, ભાઈશ્રી નટવરભાઈ, પ્રાણલાલભાઈ, ભાભી એ. સી. નારંગીબહેન તથા અ. સ. ઈન્દિરાબહેન તથા બહેને ગંગાબહેન, શાન્તાબહેન, હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે અને સંસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડને સારો વહેપાર છે. શારદાબાઈ મહાસતીજીના સંસારી પિતા શ્રીયુત વાડીલાલ બ્રેગનલાલ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ચોથ ને મંગળવાર તા. ૪–૫-૬૫ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાર્ટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુદ્ધ ભાવે અને મન ધર્મધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મપત્ની તથા પુત્ર, પુત્રવધૂઓ અને પુત્રીઓ બધા પૂ. મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપતા. પૂજ્ય શારદાબાઈ મહાસતીજી મુંબઈથી વિહાર કરી સંવત ૨૦૨૩માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સંવત ૨૦૨૫માં સાણંદ પધાર્યા તે વખતે તેમના સંસારી માતુશ્રી સકરીબહેનની તબિયત હાર્ટની ટ્રબલ અને ડાયાબીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દમાં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્ર-પુત્રવધૂઓ તથા પુત્રીઓએ તેમની પ્રેમથી અને લાગણીથી જે સેવા કરી છે તે આજના સંતાન માતા-પિતાની ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે તેમના સંસારી માતુશ્રી સકરીબહેને કહ્યું કે મહાસતીજી આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હવે હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલ્લા દર્શન છે. ત્યારે મહાસતીજીએ કહ્યું કે તમે આમ કેમ બેલે છે? ત્યારે તેમણે કહ્યુંહવે આ નશ્વર દેહનો ભરોસો નથી માટે મને ધર્મ આરાધના કરવો. પૂજ્ય મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્ત્ર-વાંચન સાંભળ્યું. ઘણું પચ્ચખાણ લીધા અને અનેક રીતે પિતાના આત્માની સાધનામાં જોડાવા લાગ્યા. ત્યાર પછી પૂ. મહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. પછી સંવત ૨૦૨૫ના અષાડ સુદ ૧૧ના રેજ વી. એસ. હોસ્પિતાલમાં સાંજના પાંચ વાગે સાગારી સંથારો કરી સમતાભાવે આત્મસાધનામાં મસ્ત રહેતાં સૌને રડતાં મૂકી આ નશ્વર દેહનો ત્યાગ કર્યો.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy